શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ખાખરાના પાનમાં ભોજન લીધું
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/05/Page-23-3-1140x620.jpg)
માનગઢ ખાતે એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન આદિવાસી સમાજની રોજગારીને ઉજાગર કરતા દેખાયા. શિક્ષણમંત્રીએ ખાખરાના ઝાડના લીલા પાનમાં ભોજન લીધું. આવું કરવા પાછળનું એક કારણ હતું. દાહોદના એવા હજારો આદિવાસી પરિવારો છે જે ખાખરાના પાનના પડીયા અને પતરાળા બનાવી રોજગારી મેળવે છે. આદિવાસી સમાજના લોકો સાથે બેસીને ખાખરાના પાનમાં ભોજન લઈને તેમણે એ દર્શાવવનો પ્રયત્ન આદિવાસી સમાજની રોજગારીને પ્રોત્સાહન આપવાનો હતો. સાથે જ શિક્ષણમંત્રીએ છમ્ફઁના વિદ્યાર્થીઓને પણ ખાખરાના પાનમાં ભોજન કરાવ્યું. એક મંત્રી કે એક નેતા કેવો હોવો જાેઈએ. એવો જે પ્રજા વચ્ચે જાય, તેમની સમસ્યાઓને જાણે અને તેનું સમાધાન કરે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની આવી જ એક અનોખી ઓળખ આદિવાસી સમાજ સહિત રાજ્યભરમાં છે અને આ જ છબીને તેમણે ફરી ઉજાગર કરી છે અને તેમનો એક નવો અંદાજ પણ જાેવા મળ્યો.
Recent Comments