fbpx
ગુજરાત

ચોમાસુ સત્ર બાદ હવે કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

કેન્દ્ર સરકારે કાલે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે ૫ દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જાેશીએ ટિ્‌વટર દ્વારા આની જાહેરાત કરી હતી. મોદી સરકારના આ ર્નિણય બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ લખ્યું, ‘સંસદનું વિશેષ સત્ર ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં ૫ બેઠકો થશે.

અમૃતકાળ દરમિયાન સંસદના આ વિશેષ સત્રમાં અર્થપૂર્ણ ચર્ચા થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે, આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજકારણમાં અલગ-અલગ ઘટનાઓ જાેવા મળી રહી છે. એક તરફ ૩૧મી ઓગસ્ટ અને ૧લી સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ રહી છે, તો બીજી તરફ મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

ભારત સરકાર આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહી છે, જેમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે સ્વતંત્રતા દિવસથી લઈને સંસદ સત્ર સુધી દરેક જગ્યાએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર મુદ્દો સંપૂર્ણ રીતે છવાયેલો રહ્યું હતું, જ્યારે વિપક્ષ દ્વારા મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. મણિપુરના મુદ્દે જ વિપક્ષો આ પ્રસ્તાવ લાવ્યા હતા, જેને સંસદમાં ધ્વનિ મતથી પરાજય મળ્યો હતો. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ બંને તરફથી એકબીજા પર જાેરદાર પ્રહારો કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/