સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞ યોજાયોદાદાને હીરા જડિત આભૂષણના વાઘા પહેરાવી વિષેશ શણગાર કરાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/File-02-Page-13-4-1100x620.jpg)
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. કાળી ચૌદશ અને શનિવારનો અનોખો સંયોગ હોવાથી દાદાને હીરા જડિત આભૂષણના વાઘા પહેરાવી વિષેશ શણગાર કરાયો હતો. આજે વહેલી સવારે આરતી બાદ દાદાની છડીને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારૂતિ યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Recent Comments