fbpx
ગુજરાત

ધારાસભ્ય કાંધલ જાડેજાએ ૩,૪૧,૨૫૦ રૂ. ભરીને ખેડૂતો માટે પાણી છોડાવ્યુંશિયાળુ પાક માટે ખેડૂતોને પિયત માટે ભરપૂર પાણી મળી રહેશે

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર ૨ ડેમમાંથી સ્વખર્ચે ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાણી છોડાવ્યું છે. કુતિયાણા વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ૩,૪૧,૨૫૦ રૂ. ભરીને ભાદર ૨ ડેમમાંથી ૧૫૦ સ્ઝ્રહ્લ્‌ પાણી છોડાવ્યું છે. ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આજરોજ શનિવારે પાણી છોડાવતા ખેડૂતોમાં ભારે ખુશી જાેવા મળી. આમ, સતત ૧૨માં વર્ષે કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે આવ્યા છે. આજે કાંધલ જાડેજાના કારણે ખેડૂતોને પાણી મળ્યું છે. ભાદર ૨ ડેમના ૩ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર-૨ ડેમમાંથી ૧૫૦ સ્ઝ્રહ્લ્‌ પાણી છોડાયું છે. હાલ ડેમમાંથી ૧૬૦૦૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.

ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના તેમજ પોરબંદરના અમુક ગામડાઓને આ પિયત માટેના પાણીનો ભરપૂર લાભ મળશે. ભાદર નદીમાં છોડવામાં આવેલ આ પાણીથી ધોરાજીથી પોરબંદર સુધીના ભાદરકાંઠા વિસ્તારના વાવેતર કરેલા શિયાળુ ખરીફ પાક માટે ૧૬૦૦૦ હેક્ટર જમીનમાં ખેડૂતોને પિયત માટે પાણીનો ભરપૂર લાભ મળશે. ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આજરોજ શનિવારે પાણી છોડાવતા ખેડૂતોમાં ભારે ખુશી જાેવા મળી છે. ભાદર ૨ ડેમના તંત્ર દ્વારા સાયરન વગાડી ભાદરકાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. બે દિવસ પહેલા પણ તંત્ર દ્વારા લોકોને શનિવારના રોજ નદીના પટમાં ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાદર ૨ ડેમ સિવાયના અન્ય કુતિયાણા અને પોરબંદર વિસ્તારના ચાર ડેમમાંથી પણ કાંધલ જાડેજા દ્વારા કુતિયાણા અને પોરબંદર સુધીના ગામોને પિયત માટે પાણી છોડાવે છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના ખેડૂતોને આ પાણીથી મોટો ફાયદો થશે. તેમજ રાણાવાવ અને પોરબંદરના અનેક ગામડાંઓને પિયત માટે પાણી મળશે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત ૧૨ વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યાં છે. છેલ્લાં ૧૫ વર્ષથી આ ડેમ પર ખેડૂતો સિંચાઈ ખાતાને નિશ્ચિત રકમ ભરી પાણી છોડાવતા હતા. ૨૦૦૮માં ફાળો ઉઘરાવી પાણી છોડાવ્યું હતું, પણ ૨૦૧૨થી ધારાસભ્ય કાંધલ જાડેજા આવ્યા ત્યાર પછીથી તેઓ દર વર્ષે પાણી છોડાવવાના તમામ રૂપિયા ભરે છે. ગઇકાલે પણ પોતાના ખર્ચે પાણી છોડાવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહત્વનું છે કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ૩ લાખ ૪૧ હજાર ૨૫૦ રૂપિયા છોડીને ભાદર-૨ ડેમમાંથી પાણી છોડાવ્યું છે. જેનાથી શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત માટે ભરપૂર પાણી મળી રહેશે. ભાદર-૨ ડેમમાંથી પાણી છોડાતાં વિસ્તારના ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/