કરણી સેના દ્વારા અપાયેલા બંધના એલાનના પગલે અંબાજી સજ્જડ બંધ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/File-02-Page-16-2-1140x620.jpg)
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શનિવારે બંધ પાળવામાં આવ્યો છે. રાજસ્થાનના સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં અંબાજીમાં કરણી સેના અને રાજપૂત સંગઠન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેને લઈ શનિવાર સવારથી જ અંબાજીના મોટા ભાગના બજારોની દુકાનો બંધ રહી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટના શોપિંગની મોટાભાગની દુકાનો ખુલ્લી જાેવા મળી હતી. શનિવાર હોવાને લઈ ભક્તોનો ધસારો મોટા પ્રમણમાં મંદિરે જાેવા મળતો હોય છે અને જે સાંજ સુધીમાં વધારે વધતો હોય છે. અંબાજીમાં શ્રદ્ધાંજલી રેલી અને આવેદન પત્ર આપવા માટેના કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અંબાજી સહિત જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેનાર છે. જે રેલી સ્વરુપ આવેદન પત્ર આપવા માટે આગેવાનો રસ્તા પર નિકળશે.
Recent Comments