fbpx
ગુજરાત

ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેના મામલાનો ઉકેલ નહીં આવે તો સી જે ચાવડા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તકલીફ પડશે ?

ગુજરાતમાં રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ સતત વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાઈ છે. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેના આ મામલાનો ઉકેલ નહીં આવે તો સૌથી મોટો ફટકો કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અને હાલમાં પેટાચૂંટણી લડતા સી જે ચાવડા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પડી શકે છે. ક્ષત્રિયોના રોષનો ભોગ આ નેતાઓ બની શકે છે. શિસ્ત બદ્ધ પાર્ટી અને બોલે તો ટિકિટ કપાવાના ડરમાં આ નેતાઓએ સમાજથી મોંઢું ફેરવી લઈ ભાજપના ભાજપૂતો તો બની ગયા છે પણ બંનેને જીત માટે તો ક્ષત્રિય મતોનો સહારો છે. વિજાપુરમાં પાટીદારોના વિરોધ વચ્ચે સી. જે ચાવડાને ક્ષત્રિય સમાજના મત ના મળ્યા તો સૌથી મોટો ફટકો અહીં પડી શકે છે. ગાંધીનગરમાં વર્ષોથી રહેતા સી જે ચાવડા ભલે ડાભલાના વતની હોય પણ વિજાપુર માટે આજે પણ આયાતી ઉમેદવારનો થપ્પો લાગેલો છે.

ગત ચૂંટણીમાં ક્ષત્રિયો વોટના સહારે ભાજપના નેતાને હરાવી સી. જે ચાવડા ધારાસભ્ય તો બની ગયા છે પણ પક્ષપલટુંમાં સામેલ થઈ ભાજપમાંથી આ જ બેઠક પર ફરી ચૂંટણી લડી મંત્રી બનવાના સપનાં જાેઈ રહેલા ચાવડાને અહીં ક્ષત્રિયોનો વિરોધ ભારે પડી શકે છે. ક્ષત્રિય સમાજના સ્ટેજ પર મુખ્ય મહેમાન બનીને બિરાજતા સી. જે ચાવડાએ ભાજપૂત હોવાનું સાબિત કર્યું છે. જે ક્ષત્રિયોમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. વિજાપુરમાં પાટીદારોના મત સાથે ક્ષત્રિયોના વોટ પણ એટલા જ અગત્યના છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ૩૬ ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભાના જાતીય ગણિત પર નજર કરીએ

તો મતદારોમાં પાટીદાર ૩૭.૭ ટકા, ઠાકોર ૧૬.૨ ટકા, ક્ષત્રિય ૧૧.૬ ટકા, દલિત ૧૧.૫ ટકા, ઓબીસી ૧૩.૮ ટકા, બ્રાહ્મણ ૪.૦ ટકા જેટલાં છે. આ બેઠક પર ૭૦ હજાર પાટીદાર મતદારો છે. જેના લીધે આ બેઠક પર મહેસાણા જીલ્લાની અન્ય બેઠકોની જેમ રસાકસી જાેવા મળે છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેનો દબદબો જાેવા મળે છે. અહીં જાે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા તો સીજે ચાવડાને ક્ષત્રિયોનો વિરોધ અને પટેલ ઉમેદવાર ભારે પડી શકે છે. સી જે ચાવડા ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી ૭૦૫૩ વોટથી વિજેતા બન્યા હતા. આ બેઠક કોંગ્રેસ અને ભાજપ બંનેને ચાન્સ આપે છે. અહીં પાટીદારોની વોટબેંક સૌથી વધારે છે.

હાલમાં ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે. ૨ વર્ષ પહેલાં ચાવડા વિરોધમાં પ્રચાર કરનાર ભાજપના સ્થાનિક નેતાઓને હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી. ભાજપે ચાવડાને પક્ષપલટો કરાવી ભાજપમાં લઈ તો લીધા છે પણ ચાવડા માટે ક્ષત્રિયો ના વિરોધ વચ્ચે અહીંથી જીતવું અઘરું છે. ચાવડાએ ભાજપમાં જાેડાતાં પહેલાં લીલીપેનનો કરાર કર્યો છે પણ ચાવડા જીતે નહીં તો એમની અહીંથી કારકીર્દી પૂરી થઈ જવાની સંભાવના છે. ચાવડા પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિકની લાઈનમાં આવી જશે. સીજે ચાવડાએ ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ભાજપૂત થવું ભારે પડી શકે છે. અહીં ક્ષત્રિયોના ૧૧ ટકા મત છે. જાે ક્ષત્રિયોએ સપોર્ટ ના કર્યો તો અહીંથી ચાવડા લીલાતોરણે ઘરભેગા થઈ શકે છે. સ્થાનિક લેવલે જ્ઞાતિવાદ પર ચૂંટણી લડાય છે અહીં ભાજપે ક્ષત્રિયને ટિકિટ આપી છે. અહીં ૩૭ ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જાેઈએ. ૭૦ હજાર પાટીદારો અહીં એક થયા તો ચાવડાને નુક્સાન ભોગવવું પડી શકે એમ છે. કોંગ્રેસે અહીં કદાવર પાટીદાર નેતાને ટિકિટ આપી તો ચાવડાને અહીંથી જીત ભારે પડી શકે છે. જાે ચાવડાના સપનાં પૂર્ણ ન થયાં તો હાર્દિક અને અલ્પેશની લાઈનમાં આવીને લીલીપેનનાં સપનાં જાેવાની શરૂઆત કરવી પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/