fbpx
ગુજરાત

આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો ભાજપનો મનસૂબો કામયાબ થયો નહિ: ઇસુદાન ગઢવી

ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસો કર્યા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી, સ્વાસ્થ્ય વિભાગમાં ક્રાંતિકારી કામ કરનાર પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનજી અને રાજ્યસભા સાંસદ સંજયસિંહજીને જેલમાં મોકલ્યા હતા. આખરે પુરાવાના અભાવે સુપ્રીમ કોર્ટે સંજયસિંહજીને જમાનત આપી હતી. આજે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી ભાજપની સામે લડી રહી છે. એક ષડ્યંત્રના ભાગરૂપે કરવામાં આવેલ અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈસુદાનભાઈ ગઢવીની સાથે સાથે પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખિલ, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ, હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી જયદીપભાઈ ચૌહાણ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી રાજલબેન ગઢવી, રાજકોટથી જિલ્લા પ્રમુખશ્રી તેજસભાઈ ગાજીપરા, મહિલા વિંગના રાજકોટ શહેર મહિલા પ્રમુખ શ્રી શીતલબેન ગોહેલ, સોનલબેન સાવલિયા, અર્જુનસિંહ વાળા, જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, રવિન્દ્રભાઈ છાયાણી, પંકજભાઈ ચાવડા, વિશાલભાઈ સાકરીયા, અશ્વિન પટેલ, ભુપતભાઈ આહીર, રવિભાઈ નિમાવત, હનીફ ભાઈ બેલીમ અમરેલીથી જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજ સાવલિયા
લોકસભા પ્રભારી શ્રી કાંતિભાઈ સતાસિયા, રાહુલ હરખાણી, પુનિત મોરઝરીયા, લાલજીભાઈ ચોવટીયા, જે કે સોહલીયા સહિત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

આ પ્રતિક ઉપવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજીથી ડરીને નરેન્દ્ર મોદી અને ભાજપે ષડયંત્ર રચીને વિચાર્યું હશે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને તોડી નાખીએ, પરંતુ આજે તેમના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું છે. આજે અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી તેઓ રાષ્ટ્રીય નેતા બની ગયા છે અને સમગ્ર વિશ્વમાં તેમની નોંધ લેવાઇ છે. આજે આમ આદમી પાર્ટીમાં ન હોય તેવા લોકો પણ કેજરીવાલજીને સમર્થન આપી રહ્યા છે. માટે આજે સમગ્ર દેશભરમાં એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગુજરાતના પ્રદેશ કાર્યાલય ખાતે, ભાવનગર અને ભરૂચ લોકસભા ખાતે અને અલગ અલગ જિલ્લાઓમાં પણ લાખો કાર્યકર્તાઓએ આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ કરીને અરવિંદ કેજરીવાલજીને સમર્થન આપ્યું છે.

અમે પ્રાર્થના કરી છે કે અરવિંદ કેજરીવાલજી જેલમાં સ્વસ્થ રહે, અમે આજે રામધુન પણ બોલાવી છે. જે રીતે અંગ્રેજો ભગતસિંહ અને મહાત્મા ગાંધીજી જેવા નેતાઓને જેલમાં નાખીને તેમના આંદોલનને કચડવાની કોશિશ કરતા હતા, તે જ રીતે ભાજપે પણ અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને એક મોટી ભૂલ કરી છે. આનો જવાબ દેશની જનતા આપશે. ભરૂચ અને ભાવનગર લોકસભામાં અમે ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લાખો લોકોના ઘરે જઈશું. આ દરમિયાન અમે બે-બે લાખ પત્રિકાઓ ઘરે ઘરે જઈને લોકોને આપીશું. આ તમામ કાર્યક્રમોથી આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને ખૂબ જ ફાયદો થશે. આજે અરવિંદ કેજરીવાલજીને હિંમત મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આજે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/