મદરેસાના સરવે દરમિયાન શિક્ષક પર થયેલા હુમલામાં અમદાવાદ પોલીસ ૨ લોકોની ધરપકડ કરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/13-11.jpg)
રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં શનિવાર સવારથી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરની ૨૦૫ જેટલી મદરેસાઓનો સર્વે હાથ ધરાયો હતો. આ સરવે દરમિયાન દરિયાપુર વિસ્તારમાં શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદ બંધ હોવાથી શિક્ષક બંધ મસ્જિદનો ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ પોલીસે તાત્કાલિક ટોળા સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી. જેમા ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments