fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાને ઉ.પ્રદેશમાં ૬.૧ લાખ લોકોના ખાતામાં ૨૭૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર આપવું એ જ સરકારનો લક્ષ્યઃ મોદી


પહેલાની સરકારે રોડા નાંખ્યા હતા, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દોઢ કરોડથી વધારે ઘર બન્યા,સૌથી વધારે આવાસ મહિલાઓના નામ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના ઉત્તર પ્રદેશને એક મોટી ભેટ આપી. વડાપ્રધાન આવાસ યોજના-ગ્રામીણ હેઠળ આજે લગભગ ૬ લાખ લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી ૨૦૨૨ સુધી દરેક ગરીબને ઘર આપવાની યોજના ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આ મદદ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક મદદ જાહેર કર્યા બાદ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક દિવસ પહેલા જ દેશે કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે, હવે વધુ એક સારું કામ થઈ રહ્યું છે.”

તેમણે કહ્યું કે, “સરકારનું લક્ષ્ય છે કે ગરીબોને ઘર આપવામાં આવે.” પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પ્રકાશ પર્વના અવસર પર ગુરૂ ગોવિંદ સિંહને નમન કર્યા અને કહ્યું કે, દેશ તેમના બતાવેલા રસ્તા પર આગળ વધી રહ્યો છે. આવાસ યોજના અંતર્ગત દેશના ગામડાઓની તસવીર બદલાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, ૬ લાખ લાભાર્થીઓના બેંક ખાતામાં ૨૭૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આર્ત્મનિભર ભારતનો સીધો સંબંધ નાગરિકોના આત્મવિશ્વાસ સાથે છે. ઘર એવી વ્યવસ્થા છે જે લોકોના આત્મવિશ્વાસને વધારે છે. પહેલા જે સરકારો હતી એ સમયની સ્થિતિને દરેક જણ જાણે છે.

પીએમ મોદીએ કહ્યું કે, પહેલા ગરીબને વિશ્વાસ નહોતો કે સરકાર ઘર બનાવવામાં મદદ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારી યોજનામાં કોઈ પણ ભાઈ-ભત્રીજાવાદ નથી ચલાવ્યો, ના કોઈ વોટબેંકને ઉપર રાખી, જે પણ ગરીબ છે તેને અધિકાર આપવામાં આવ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યોજના અંતર્ગત સૌથી વધારે આવાસ મહિલાઓના નામ પર જ આપવામાં આવી રહ્યા છે, દરેક વ્યક્તિના ખાતામાં પૈસા આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદી તરફથી અપીલ કરવામાં આવી કે, ગ્રામીણ લોકોએ પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાનો લાભ લેવો જાેઇએ અને પોતાના ઘરની મેપિંગ કરાવવી જાેઇએ.

પીએમ મોદીએ ગત સરકારો પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, ખોટી નીતિઓના કારણે લોકોને આનું નુકસાન થતુ હતુ. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર તમામને ઘર મળ્યા, આ લક્ષ્ય દેશે રાખ્યું હતુ. અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં જ ૨ કરોડ ઘર બની ચુક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દોઢ કરોડથી વધારે ઘર બન્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૬માં અમે જ્યારે આ યોજના લૉન્ચ કરી હતી, ત્યારે યૂપીમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. પહેલાની સરકારને અનેકવાર ચિઠ્ઠી લખવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારનું કામ ના કર્યું. હવે જ્યારે યોગી સરકાર આવી છે તો આ યોજનાએ ગતિ પકડી છે.૨૬ જાન્યુઆરીએ યોજાનાર ખેડૂતોની ટ્રેક્ટર રેલી રોકવા સુપ્રિમનો ઇન્કાર

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને રેલી વિરુદ્ધ અરજી પાછી ખેંચવા કહ્યું, કોર્ટ કોઇ પણ રેલીને રોકે એ યોગ્ય નથી, ટ્રેક્ટર રેલી પર ર્નિણય લેવાનો વારો દિલ્હી પોલીસનો
પેનલની નિમણૂંક વાતચીત કરવા માટે જ કરાઇ છે, કોઇ સત્તા અપાઇ નથી, તો પછી પક્ષપાત કરાયો હોવાની વાત ક્યાં ઉપસ્થિત થાય છેઃ સુપ્રિમની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે બુધવારે કૃષિ કાયદા મુદ્દે નિયુક્ત કરેલી પેનલને બદલાવની ખેડૂતોની માગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતા કહ્યું હતુ કે, તેમના દ્વારા પેનલની નિમણૂક વાતચીત કરવા માટે જ કરાઈ છે તેમને ર્નિણય માટેની કોઈ સત્તા આપવામાં આવી નથી. તો પછી પક્ષપાત કરાયો હોવાની વાત જ ક્યાં ઉપસ્થિત થાય છે.
દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ૨૬મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની સંભવિત ટ્રેક્ટર રેલીને રોકવાની માગ કરતી અરજી પરત ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી મુદ્દે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા પોલીસના અધિકારક્ષેત્રમાં આવે છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે પોલીસે યોગ્ય પગલાં લેવા જાેઈએ સુપ્રીમ કોર્ટ તેમાં કોઈ દખલગીરી નહીં કરે.
ત્રણ કૃષિ કાયદા પર કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા સુપ્રીમ કોર્ટે વાતચીત માટે ચાર સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતામાં મળેલી બેન્ચે જણાવ્યું હતું કે તેમણે નિમેલી પેનલના મહાનુભાવો જજ છે અને તેઓ કોઈ વિષય નિષ્ણાત નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પેલનના ગઠનનો આદેશ આપ્યો હતો જેમાંથી કેટલાક સભ્યો કૃષિ કાયદાની તરફેણમાં હોવાનું જણાયું હતું. આ મામલે ત્યારે વિવાદ ઉઠ્યો જ્યારે પેનલા એક સભ્યએ પોતે આ સમિતિમાંથી ખસી જવાનો મત રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમન પણ બેન્ચનો હિસ્સો છે અને તેમણે જણાવ્યું કે, આમાં પક્ષપાતનો સવાલ જ ક્યાં ઉપસ્થિત થાય છે. અમે કમિટીને કોઈ ર્નિણય લેવાની સત્તા સોંપી નથી. તમે (ખેડૂતો) પેનલ સમક્ષ હાજર નથી રહેવા ઈચ્છતા તે સમજી શકાય તેવી વાત છે પરંતુ કોઈના પર દોષારોપણ કરવું યોગ્ય નથી. બેન્ચે વધુમાં કહ્યું કે તમે આમ કોઈના પર કલંક ના લગાવી શકો.

દરેક વ્યક્તિનો પોતાનો મત હોવો જાેઈએ. જજનો પણ પોતાનો મત હોય છે. આ એક સર્વસામાન્ય બાબત છે. તમને ના જાેઈએ તે વ્યક્તિનું ખોટું બ્રાન્ડિંગ કરવું તે હવે નિયમ બની ગયો છે. અમે કમિટીને ફેંસલો કરવાની સત્તા આપી નથી તેમ સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટકોર કરતા વધુ એક વખત જણાવ્યું હતું કે, ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની પરેડના મુદ્દે પોલીસ પગલાં લઈ શકે છે. આ મામલે કોર્ટો કોઈ જ આદેશ નહીં આપે. કોર્ટે કહ્યું હતું કે, અમે અગાઉ પણ જણાવ્યું હતું કે અમે કોઈ નિર્દેશ નહીં આપીએ. આ પોલીની બાબત છે. અમે અરજી પરત ખેંચવા મંજૂરી આપીશું. સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી યોજાયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસે ખેડૂતોની સંભવિત ટ્રેક્ટર રેલીને રોકવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીને પરત ખેંચી હતી.

૧૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર વધુ આદેશ ના અપાય ત્યાં સુધી અમલીકરણ પર સ્ટે લાગુ કરતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પેલન પણ રચી હતી જેની પાસે ખેડૂતોને વાતચીત કરવા જવા જણાવાયુ હતું. જાે કે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે અને તેમણે પેનલ પાસે નહીં જવાનું જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે રચેલી કમિટીમાં ઓલ ઈન્ડિયા કિસાન કોઓર્ડિનેશન કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપિન્દર સિંહ માન, સાઉથ એશિયાના ઈન્ટરનેશનલ ફૂડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રમદો કુમાર જાેશી, કૃષિ અર્થશાસ્ત્રી અને કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ્‌સ એન્ડ પ્રાઈસીસના પૂર્વ ચેરમેન અશોક ગુલાટી તેમજ શેતકારી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘનવટનો સમાવેશ કરાયો હતો. બાદમાં આ પેનલમાંથી ભુપિન્દર સિંહ માને ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/