કેમ ઘાતક સાબિત થઈ રહ્યો છે કોરોના, શા માટે 10 દિવસમાં 54 લોકોના થયા મૃત્યુ, જાણો એ પાછળ શું છે કારણ?
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/01/featured_1643175380.jpg)
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે રાજ્યમાં અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ કોરોના કેસની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે તો સુરત બીજા ક્રમાંકે છે પરંતુ મૃત્યુદરની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં એટલે કે મંગળવારના રોજ 10 દર્દીઓના મૃત્યુનો નોંધાયા હતા. આંકડો ખરેખર ચિંતાજનક કહી શકાય છે કેમ કે બીજી લહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.
કોરોનાના કેસોની સાથે જે મૃત્યુ દર વધી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય તો લોકોની વેક્સિનના લેવાની બેદરકારી છે કેમકે જે લોકોના મૃત્યુ થયા છે તેમાંથી મોટા ભાગના એવા લોકો છે જેમને વેક્સિન જ લીધી નથી આ ઉપરાંત અન્ય કેટલાક લોકો એવા છે કે જેમને પ્રથમ ડોઝ લીધો છે પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી રહી ગયો છે તેવા લોકોને હોસ્પિટલમાં એડમિટ વધુ થવું પડી રહ્યું છે કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં અમિત ઓમિક્રોન વધારે ખતરારૂપ સાબિત થઇ રહ્યો છે અને તેની સામે લડવા વેક્સિન જરૂરી છે.
છેલ્લા દસ દિવસમાં 54 દર્દીઓના મૃત્યુ કોરોના ના કારણે નોંધાયા છે જેનું બીજું કારણ એ પણ છે કે આ ગત વર્ષે ડેલ્ટા વેરિએન્ટ જે નવો આવ્યો હતો અત્યારે 20થી 30 ટકા સક્રિય થયો હોવાનું નિષ્ણાતો દ્વારા માનવામાં આવી રહ્યું છે. જેમાં વેક્સિન ના લેનાર પર ખતરો વધુ છે. જેથી રાજ્ય સરકાર દ્વારા પણ આ બંને નું જીનોમ પરીક્ષણ ચાલી રહ્યું છે. કેમ કે મુખ્ય કારણ એક આ પણ છે કે આ મિશ્રણમાં ડેલ્ટા ભડી ગયો છે અને તેના કારણે મૃત્યુ દર વધી રહ્યો છે.
Recent Comments