ગરમીની ઋતુમાં સ્વસ્થ રહેવા અને ડિહાઈડ્રેશનથી બચવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુ…
ગરમીની ઋતુમાં સ્વસ્થ રહેવા અને ડિહાઈડ્રેશનથી બચવા માટે ડાયેટમાં આપણે કેટલીક વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જેથી આપણે બીજી બિમારીનો સામનો કરવો ન પડે. આવો જાણીએ….
– ઉનાળામાં ડીહાઈડ્રેશનની સ્થિતિમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવો. તે તમારી તરસ તો છીપાવે છે પરંતુ ડિહાઇડ્રેશનના થાકને દૂર કરીને તમને ત્વરિત ઊર્જા આપે છે.
– છાશ પીવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. છાશ તમારા શરીરને ઠંડુ રાખે છે. પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, ફોસ્ફરસ વગેરે જેવા ખનીજ શક્તિમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
– એક બ્લેન્ડરમાં તરબૂચ, ટીસ્પૂન લીંબુનો રસ, ફુદીનાના પાન અને 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર મિક્સ કરો. 4 થી 5 બરફના ટુકડા ઉમેરો. ઉનાળાની ઋતુમાં દરરોજ આ હેલ્ધી ડ્રિંકનું સેવન કરો.
– આયુર્વેદ અનુસાર બહાર નીકળતા પહેલા ડુંગળીના રસમાં થોડું મધ ઉમેરો. તે તમારા શરીરનું તાપમાન સામાન્ય કરે છે અને ગરમી સામે રક્ષણ પણ આપે છે.
– ઉનાળાની ઋતુમાં તરબૂચનો રસ પીવો પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં તરબૂચનો રસ ચોક્કસ પીવો. તેનાથી તમને એનર્જી મળશે અને વજન પણ ઘટશે.
Recent Comments