fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ થવો જાેઈએ, સંસદમાં આવી માફી માગે : રાજનાથ સિંહ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કૈમ્બ્રિજ ભાષણ પર આજે રાજ્યસભામાં સત્તાધારી પાર્ટીના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધીને સદનમાં માફી માગવા માટે કહ્યું હતું. રક્ષામંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધી સંસદમાં આવીને માફી માગે. તો વળી પીયૂષ ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ભારતનુ અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, રાહુલને દરેક સ્તર પર માફી માગવી પડશે. તો વળી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જાેશીએ કહ્યુ કે, રાહુલે લોકતંત્ર અને સ્પીકર પર સવાલો ઉઠાવ્યા છે.

હોબાળાની વચ્ચે રાજ્યસભાની કાર્યવાબી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં રાહુલ ગાંધીની લંડન સ્પીચ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું છે, જે સદનના એક સભ્ય છે. તેમણે કહ્યું કે, હું માગ કરુ છું કે, આખું સદન રાહુલ ગાંધીની ટિકા કરે અને તેમને સદનમાં આવીને માફી માગવા કહે. તો વળી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલના સંસદમાં બોલવા નહીં દેવાના અને માઈક બંધ કરી દેવાના નિવેદન પર કહ્યું કે, આ નિવેદન લોકસભાનું અપમાન છે. સદનના સ્પીકરે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જાેઈએ. તેમના વિરુદ્ધ લોકતંત્રનું અપમાન કરવા માટે રાજદ્રોહનો કેસ થવો જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/