fbpx
રાષ્ટ્રીય

ચીને ઓડીશા ટ્રેન અકસ્માત મુદ્દે શોક વ્યક્ત કરતાની સાથે ભારતની ટીકા કરી

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના ઘટી છે. ૨૭૮ લોકો માર્યા ગયા અને ૧૦૦૦ થી વધુ ઘાયલ થયા. દુઃખની આ ઘડીમાં સમગ્ર વિશ્વનો સાથ મળ્યો. બધાએ શોક વ્યક્ત કર્યો. પરંતુ આ પ્રસંગે પણ ચીન પોતાની યુક્તિઓથી હટ્યું નથી.ચીન બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રાજકારણ કરવામાં વ્યસ્ત છે, ચીનથી ભારતની પ્રગતિ દેખાતી નથી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જૂને બીજી વખત અમેરિકી સંસદને સંબોધિત કરશે. આવું કરનાર તે ઈતિહાસમાં ચોથા વ્યક્તિ હશે. ચીનને પણ આ વાત પચતી નથી. તેના સત્તાવાર મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’માં શોક વ્યક્ત કરવાની આડમાં તેણે ભારતની ટીકા કરી છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે અમેરિકન મીડિયા કહી રહ્યું છે કે અત્યાર સુધી માત્ર ત્રણ રાષ્ટ્રાધ્યક્ષોને યુએસ કોંગ્રેસને બે વાર સંબોધિત કરવાની તક મળી છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા ચોથા વ્યક્તિ હશે. અમને ખબર નથી કે મોદી તેમના ભાષણમાં ‘સદીના સૌથી ભયાનક ટ્રેન અકસ્માત’નો ઉલ્લેખ કરશે કે તેના વિશે વાત કરવાનું ટાળશે. સરકારી મીડિયાએ લખ્યું છે કે ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનનો મુકાબલો કરવા માટે અમેરિકા ભારતને મજબૂત ભાગીદાર તરીકે જાેઈ રહ્યું છે. તેમજ વિદેશી રોકાણના મામલે ભારત ચીનને સ્પર્ધા આપી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત ચીનના ઉત્પાદનોનો વિકલ્પ બની શકે છે. વાસ્તવમાં એપલ અને ગૂગલ જેવી કંપનીઓ ભારતમાં પોતાનો આધાર બનાવી રહી છે.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સારો વિકાસ કર્યો છે. મોદી પ્રશાસન દરમિયાન આવી ઘણી સિદ્ધિઓ છે, જેની વાત કરી શકાય. ચીનના મીડિયા દ્વારા આ ટ્રેન દુર્ઘટનાએ દર્શાવ્યું છે કે ભારતના ઔદ્યોગિકીકરણ અને વિકાસ કાર્યમાં બેવડું પાત્ર છે. એક તરફ ભારત પોતાની રોકેટ અને મિસાઈલ ક્ષમતા બતાવે છે. પોતાને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગના હબ તરીકે વર્ણવે છે. બીજી તરફ ભારતનો ઔદ્યોગિક પાયો ઘણો નબળો છે. આ કારણે નિષ્ફળતાનું જાેખમ હંમેશા રહે છે. અખબારે આગળ લખ્યું છે કે રેલવે સિસ્ટમના વિકાસને લઈને ચીન સહિત ઘણા દેશો સામે ઘણા પડકારો છે. પરંતુ ભારતમાં સ્થિતિ સાવ અલગ છે. ભારતીય રેલ્વે નેટવર્ક પર સવાલો ઉઠાવતા ચીની મીડિયાએ કહ્યું કે તે એક સમયે બ્રિટિશ શાસનનું ગૌરવ હતું. ૧૯૪૭ માં સ્વતંત્રતા સમયે, તે ખૂબ જ મહત્વપૂર્ણ ઔદ્યોગિક સંપત્તિ માનવામાં આવતું હતું. નવાઈની વાત એ છે કે બ્રિટિશ શાસનના ૭૦ વર્ષથી વધુ સમય બાદ ભારતને આટલી ભયાનક ટ્રેન દુર્ઘટનાનો સાક્ષી બનવું પડ્યું છે. દુનિયાની સૌથી આધુનિક ગણાતી રેલવે વ્યવસ્થાની આવી હાલત થઈ છે તે સમજની બહાર છે. શું તે માનવીય ભૂલ છે અથવા તે પ્રણાલીગત સમસ્યા છે? ચીન અહીં જ અટક્યું નથી. દ્ગઝ્રઇમ્ ડેટાની મદદથી તેણે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ભારતીય રેલવે અત્યંત જાેખમી છે. તેમણે લખ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેન દુર્ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ દ્ગઝ્રઇમ્ના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૧માં ૧૮૦૦૦ નાના-મોટા અકસ્માતો થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/