અનુરાગ ઠાકુર ભારત-ચીન બોર્ડર પર ITBP જવાનોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/File-01-Page-06-01-1140x620.jpg)
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લદ્દાખની મુલાકાત લીધી હતી. તેમણે બુધવારે રાત્રે લેહમાં ભારત-ચીન સરહદ પર ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ સરહદની રક્ષા કરી રહેલા (ૈં્મ્ઁ) જવાનો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. તેમણે સૈનિકોની સાથે ભારત માતા કી જયના ??નારા લગાવ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતી. માહિતી અને પ્રસારણ મંત્રીએ આર્મી અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ૈં્મ્ઁ)ના જવાનો તેમજ ભારત-ચીન સરહદ નજીક ચુમુર વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી. ઠાકુરે કહ્યું કે, લદ્દાખના લોકોએ બાહ્ય પ્રભાવો વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકારે સરહદોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લીધાં છે. લેહથી ૨૧૧ કિમી દૂર કરજાેક ગામમાં ૈં્મ્ઁના જવાનો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે વર્તમાન સરકાર ભારતને મજબૂત અને સારૂ રાષ્ટ્ર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.
મજબૂત (સંરક્ષણ) દળોને મજબૂત સરકાર દ્વારા ટેકો મળે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે. સુરક્ષા દળોની હિંમતની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના સંકલ્પના કારણે જ દેશની સરહદો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે સરકાર સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોને મજબૂત કરવા સખત મહેનત કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે દેશના ભલા માટે કામ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. સંરક્ષણ સાધનોના ઉત્પાદન પર વાત કરતા કહ્યું કે પહેલા દેશ આયાત પર ર્નિભર હતો પરંતુ આર્ત્મનિભર ભારત સોલ્યુશન હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં ૪૦૦થી વધુ વસ્તુઓ સ્વદેશી રીતે બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ૧ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં નવીનતમ તકનીકોના ઉપયોગથી તેની સાથે જાેડાવા માટે વિદેશી કંપનીઓનું ધ્યાન આકર્ષિત થયું છે. કરજાેક ગામમાં એક જાહેર સભાને સંબોધતા ઠાકુરે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો વિકાસ પ્રાથમિકતા છે અને સરકાર પ્રદેશમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરવા સખત મહેનત કરી રહી છે.
તેમણે સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે તેમની ડિજિટલ કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, પર્યટન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને જલ જીવન મિશન અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટેની તેમની માંગણીઓને પ્રાથમિકતાના ધોરણે સંબોધવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલી વિકાસલક્ષી પહેલો અંગે મંત્રીએ કહ્યું કે તેણે લોકોના જીવનધોરણને સુધારવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો અને યોજનાઓ લાગુ કરી છે. તેમણે કહ્યું કે લદ્દાખમાં પણ કૃષિ વધુ નફાકારક બનવાથી, વેપાર અને ઉદ્યોગનો વિકાસ, વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો વધવાથી અને દૂરના વિસ્તારોમાં પણ સારી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવાથી ઘણું બદલાયું છે. ઠાકુરે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારમાં સરકારની વિવિધ પહેલોના સફળ અમલીકરણ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. મંત્રીએ કહ્યું કે મોદી સરકાર લદ્દાખના ઝડપી વિકાસ માટે ઉત્સુક છે અને સ્થાનિક લોકોની સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ થાય તે સુનિશ્ચિત કરે છે.
Recent Comments