દારુ કૌંભાડ કેસમાં દિલ્હી સીએમને ઈડ્ઢનુ તેડુ આવ્યુંઈડીએ અરવિંદ કેજરીવાલને ૨ નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/File-01-Page-07-5-1140x620.jpg)
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી ૨ નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈએ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ કૌંભાડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા છેલ્લા ૮ મહિનાથી જેલમાં છે.. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસનો વિસ્તાર વધાર્યો છે.
ઈડ્ઢએ હવે આ મામલામાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આગામી ૨ નવેમ્બરે હાજર થવા કહ્યું છે.. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દારૂ કૌભાંડ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ જ કેસમાં, ગત ૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. આ પહેલા ૨૬ ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ૮ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ વર્ષે દારૂ કૌભાંડ કેસની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું છે. ૪ ઓક્ટોબરે સવારે ૭ વાગ્યે ઈડ્ઢના અધિકારીઓ સંજય સિંહના દિલ્હીના ઘરે પહોંચ્યા હતા. લગભગ ૧૦ કલાક સુધી ચાલેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે છછઁ નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.
Recent Comments