fbpx
રાષ્ટ્રીય

દારુ કૌંભાડ કેસમાં દિલ્હી સીએમને ઈડ્ઢનુ તેડુ આવ્યુંઈડીએ અરવિંદ કેજરીવાલને ૨ નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી ૨ નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈએ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ કૌંભાડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા છેલ્લા ૮ મહિનાથી જેલમાં છે.. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસનો વિસ્તાર વધાર્યો છે.

ઈડ્ઢએ હવે આ મામલામાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આગામી ૨ નવેમ્બરે હાજર થવા કહ્યું છે.. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દારૂ કૌભાંડ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ જ કેસમાં, ગત ૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. આ પહેલા ૨૬ ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ૮ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ વર્ષે દારૂ કૌભાંડ કેસની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું છે. ૪ ઓક્ટોબરે સવારે ૭ વાગ્યે ઈડ્ઢના અધિકારીઓ સંજય સિંહના દિલ્હીના ઘરે પહોંચ્યા હતા. લગભગ ૧૦ કલાક સુધી ચાલેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે છછઁ નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/