બિહારમાં ચૂંટણી પંચે ભોજપુર અને નવાદાના ડીએમ-એસપીને હટાવવાનો આદેશ આપ્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/File-01-Page-10-1-1140x620.jpg)
ચૂંટણી પંચે બે ૈંછજી અને બે ૈંઁજી અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. પંચે ભોજપુરના ડીએમ રાજકુમાર અને નવાદાના ડીએમ આશુતોષ વર્મા સામે મોટી કાર્યવાહી કરી છે અને તેમને તેમના પદ પરથી હટાવી દીધા છે. આ સાથે ચૂંટણી પંચે આ બંને જિલ્લાના પોલીસ કેપ્ટન (જીઁ)ને પણ પદ પરથી હટાવી દીધા છે. ચૂંટણી પંચે ભોજપુર જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકુમાર અને એસપી પ્રમોદ કુમાર યાદવ અને નવાદા જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ વર્મા અને એસપી અંબરીશ રાહુલને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા છે. આ સાથે તેમને સામાન્ય ચૂંટણી ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી ફરજમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી બાદ બિહાર સરકાર દ્વારા ૬ ૈંછજી-ૈંઁજી અધિકારીઓની યાદી પંચને સુપરત કરવામાં આવશે.
આ પછી, તે સૂચિમાંથી ચૂંટણી પંચ દ્વારા બંને જિલ્લા માટે ડીએમ અને એસપીની નિમણૂક કરવામાં આવશે. ભોજપુર ડીએમ રાજકુમાર ૨૦૧૦ બેચના આઈએએસ અધિકારી છે. તેઓ મે ૨૦૨૨થી ભોજપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે. મુઝફ્ફરપુર બાલિકા કેસ દરમિયાન તેઓ સમાજ કલ્યાણ વિભાગમાં તૈનાત હતા. જ્યારે નવાદાના ડીએમ આશુતોષ વર્મા ૨૦૧૩ બેચના આઈએએસ અધિકારી છે.તેમને ગયા વર્ષે જુલાઈમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી ત્યારે તેઓ ડીએમ બન્યા હતા. તે ૯ મહિનાથી પણ ઓછા સમય માટે અહીં રહ્યો હતો. બિહારમાં તમામ સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. નવાદામાં પ્રથમ તબક્કામાં ૧૯મી એપ્રિલે મતદાન છે. જ્યારે છેલ્લા તબક્કામાં અરાહ (ભોજપુર)માં ચૂંટણી યોજાવાની છે. અહીં ૧લી મેના રોજ મતદાન થશે. બિહારમાં લોકસભાની ૪૦ બેઠકો છે, જેમાંથી દ્ગડ્ઢછ પાસે ૩૯ બેઠકો છે. જ્યારે કિશનગંજમાં કોંગ્રેસ પાર્ટીએ એક સીટ જીતી છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ એનડીએનો ભાગ છે.
Recent Comments