fbpx
રાષ્ટ્રીય

‘SC/ST એક્ટ દરેક કેસમાં લાગુ નહીં’:જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન SC-ST એક્ટના દાયરામાં નથી; સુપ્રીમ કોર્ટે જણાવ્યું કાયદો ક્યારે અને કયા કેસમાં લાગુ થશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ અનુસૂચિત જાતિ-જનજાતિના વ્યક્તિનું તેની જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન કરવામાં આવે છે, તો આ કેસ એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 હેઠળ ગુનો ગણાશે નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એક ઓનલાઈન મલયાલમ ન્યૂઝ ચેનલના એડિટર શાજન સ્કારિયાને આગોતરા જામીન આપતાં આ નિર્ણય આપ્યો હતો. 1989 એક્ટની કલમ 3(1)(R) અને 3(1)(U) હેઠળ સ્કારિયા વિરુદ્ધ કેસ નોંધાયો હતો. તેમના પર આરોપ હતો કે તેમણે એસસી સમુદાયમાંથી આવતા કુન્નાથુનાડના CPM ધારાસભ્ય પીવી શ્રીનિજનને માફિયા ડોન કહ્યા હતા. આ કેસમાં ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઈકોર્ટે તેમને ધરપકડ પહેલા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

કોર્ટે કહ્યું- વીડિયોમાં અપમાન જેવું કંઈ જોવા મળ્યું નથી આરોપી સ્કારિયા વતી એડવોકેટ સિદ્ધાર્થ લુથરા અને ગૌરવ અગ્રવાલે દલીલો રજૂ કરી હતી. આને સ્વીકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું- SC/ST સમુદાયના કોઇ સભ્યનું ઇરાદાપૂર્વક કરવામાં આવેલું દરેક અપમાન અને તેમને આપવામાં આવેલી ધમકી જાતિ આધારિત અપમાન ગણવામાં આવશે નહીં. અમને એવું કંઈ મળ્યું નથી જે સાબિત કરે કે સ્કારિયાએ ​​​​​​​યુટ્યુબ વીડિયોમાં ​​​​​​​SC/ST સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ અથવા નફરતને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હોય. વીડિયોનો SC કે ST સભ્યો સાથે કોઈ લેવાદેવા નથી. તેમના નિશાને માત્ર ફરિયાદી (શ્રીનિજન) જ હતા.

તો કોને જાતિગત અપમાન ગણવામાં આવશે… 70 પાનાનો ચુકાદો લખતાં જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે ઇરાદાપૂર્વક અપમાન અથવા ધાકધમકી ફક્ત એવા કિસ્સાઓમાં જ કરવામાં આવે છે જે અસ્પૃશ્યતાની પ્રથા અથવા ઉચ્ચ જાતિઓના નીચલી જાતિ/અસ્પૃશ્યો પર તેમની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે હોય છે. આને 1989ના કાયદા હેઠળ અપમાન અથવા ધમકીઓ કહી શકાય. બેન્ચે કહ્યું કે અપમાન કરવાનો ઈરાદો એ જ છે, જે ઘણા વિદ્વાનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલી જાતિઓ માટે ગણાવ્યો છે. તે કોઈ સામાન્ય અપમાન અથવા ધમકી નથી જે અપમાન સમાન છે અને જેને 1989ના કાયદા હેઠળ સજાપાત્ર બનાવવાની માગ કરવામાં આવી છે.

કોર્ટની સલાહ- શ્રીનિજન ઇચ્છે તો માનહાનિનો કેસ દાખલ કરી શકે છે માફિયા ડોનનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું- નિંદનીય આચરણ અને બદનક્ષીભર્યા નિવેદનોને જોતા, અપીલકર્તા (સ્કારિયા) વિશે માત્ર એટલું જ કહી શકાય કે તેમણે IPCની કલમ 500 હેઠળ માનહાનિનો ગુનો કર્યો છે. જો એમ હોય તો, ફરિયાદી (શ્રીનિજન) માટે અપીલકર્તા (સ્કારિયા) સામે કાર્યવાહી કરવા માટેના રસ્તા હંમેશા ખુલ્લા રહેશે. જો કે, ફરિયાદી (શ્રીનિજન) 1989ના અધિનિયમ હેઠળ કેસની નોંધણી માટે માત્ર એ આધાર પર અપીલ કરી શકતા નથી કે તે અનુસૂચિત જાતિના છે અને વિડિયોની નકલમાં પણ એવું સાબિત થતું નથી કે સ્કારિયા દ્વારા શ્રીનિજનનું અપમાન કરવું તેની જાતિથી પ્રેરિત હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/