fbpx
રાષ્ટ્રીય

PM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરીકોંગ્રેસ કેટલાક મતો માટે વિશ્વાસ અને સંસ્કૃતિને દાવ પર લગાવી શકે છે:પીએમ મોદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન બુધવારે સમાપ્ત થયું. હવે બીજા અને ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં ૨૫ સપ્ટેમ્બરે ૨૬ બેઠકો પર મતદાન થશે. આ માટે ચૂંટણી પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે. ઁસ્ મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે કોંગ્રેસ થોડા મતો માટે ગમે ત્યારે વિશ્વાસ અને સંસ્કૃતિને દાવ પર લગાવી શકે છે. આ રાજવી પરિવારના વારસદાર તાજેતરમાં વિદેશ ગયા હતા અને કહ્યું હતું કે અમારા દેવી-દેવતાઓ ભગવાન નથી. શું આ આપણા દેવી-દેવતાઓનું અપમાન નથી? આ તેમની ઇરાદાપૂર્વકની ચાલ અને નક્સલવાદી વિચારસરણી છે. કોંગ્રેસ આ નક્સલવાદી વિચારસરણીથી કબજે થઈ ગઈ છે.

રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે. આ દેશમાં ભ્રષ્ટાચારના જન્મદાતા અને પોષક છે. તેમની હિંમત જુઓ, તેઓ ડોગરાઓની ભૂમિ પર આવીને અહીંના રાજવી પરિવારને ભ્રષ્ટ કહે છે. કોંગ્રેસના નેતાએ જાણી જાેઈને ડોગરા વિરાસત પર આ હુમલો કર્યો છે. પ્રેમની દુકાનના નામે નફરતનો માલ વેચવાની આ તેમની જૂની નીતિ છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસને વોટ બેંક સિવાય કંઈ દેખાતું નથી. તેઓએ જમ્મુ અને કાશ્મીર વચ્ચેની ખાઈને વધુ ઊંડી કરી. જમ્મુ સાથે હંમેશા ભેદભાવ થતો હતો. અમે જમ્મુને વિકાસના નવા પ્રવાહ સાથે જાેડી દીધું છે. આ દરમિયાન પીએમએ પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું છે કે અમે કલમ ૩૭૦ પર કોંગ્રેસના ગઠબંધનના વલણ સાથે સહમત છીએ.

આ અંગે પીએમએ કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે ૩૭૦ અને ૩૫છ પર કોંગ્રેસ અને એનસીનો એજન્ડા પાકિસ્તાન જેવો જ છે. પીએમએ કહ્યું કે આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાને જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો પર્દાફાશ કર્યો છે. લોકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ થોડા સમય પહેલા થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે માતાના ભક્તો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. હું વિજય કુમારને સલામ કરું છું, જેમણે શિવખેડીમાં શ્રદ્ધાળુઓને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. આ જુસ્સો આપણને પ્રેરણા આપે છે. કલમ ૩૭૦ તૂટ્યા બાદ આતંકવાદ અને અલગતાવાદ સતત નબળા પડી રહ્યા છે. ઁસ્એ કહ્યું કે જમ્મુ-કાશ્મીર શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત રહેશે ગયા વર્ષે ૨ કરોડથી વધુ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર આવ્યા હતા. આ સાથે માતા વૈષ્ણો દેવીના દર્શન માટે ૯૫ લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. આનો લાભ સૌને મળ્યો છે. આવનારા સમયમાં કાશ્મીર ખીણમાં પણ પ્રવાસનનું મોટું વિસ્તરણ થવાનું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/