fbpx
રાષ્ટ્રીય

વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું

ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની મીડિયાએ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ક્રિકેટ વિશે વાત કરી હતી. પરંતુ ભારતીય મીડિયાએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે. જેનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત્‌ છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં) કોન્ફરન્સ માટે પાકિસ્તાનની મુલાકાતે હતા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આયોજિત કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની મીડિયા દ્વારા તેમના વિશે મોટું જૂઠ ફેલાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામાબાદમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ક્રિકેટ ડિપ્લોમસી વિશે વાત કરી છે. પરંતુ ભારતીય મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને આવી વાતોને નકારી કાઢી છે. આતંકવાદી ઘટનાઓ અને ખરાબ સંબંધોને કારણે ભારત સરકારે લગભગ ૧૭ વર્ષથી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. ભારત સરકારનો આ ર્નિણય ચેમ્પિયન્સ ટ્રોફીના માર્ગમાં પણ અવરોધ બની ગયો છે.

ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ પછી પ્રથમ વખત આયોજિત થઈ રહી છે. જેનું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ, ટીમ ઈન્ડિયા તેમાં ભાગ લેવા પાકિસ્તાન જશે કે નહીં તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સમગ્ર વિશ્વની નજર આ સવાલના જવાબ પર ટકેલી છે. આ સસ્પેન્સ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ક્રિકેટને લઈને ચર્ચાના સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેને ભારતીય મીડિયાએ નકારી કાઢ્યા હતા. ભારતીય મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને જે લખ્યું છે તે મુજબ પાકિસ્તાની મીડિયાએ તેના અહેવાલમાં બતાવ્યા પ્રમાણે અને કહ્યું તેમ ઈસ્લામાબાદમાં કંઈ થયું નથી.

એએનઆઈએ તેના સૂત્રોને ટાંકીને લખ્યું છે કે ભારતીય વિદેશ મંત્રીની ઈસ્લામાબાદ મુલાકાત દરમિયાન ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવા અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. આ પહેલા પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના પત્રકાર ફૈઝાન લખાનીએ પોતાના એક્સ હેન્ડલ પર પોતાની પોસ્ટ દ્વારા દાવો કર્યો હતો કે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ક્રિકેટને લઈને ચર્ચા થઈ હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં બંને દેશો આ અંગે ઔપચારિક ચર્ચા શરૂ કરી શકે છે.

Follow Me:

Related Posts