fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઐતિહાસિક વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ દ્વારા “ગાંધી વંદના” સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો

રાજકોટ સ્થિત આઝાદી પૂર્વે 1946માં સ્થપાયેલી ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે ગાંધી વંદના સ્વરાંજલિ-સ્મરાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો.  

ગાંધીમૂલ્યો-વિચારોને વરેલાં : દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્તિબા, ઢેબરભાઈ, વજુભાઈ શાહ અને જયાબેન શાહની પુણ્યસ્મૃતિમાં નવી પેઢીમાં રાષ્ટ્રભાવનાનું સંસ્કાર સિંચન થાય તેમજ આપણી ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય, સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ગ્રામ સ્વરાજ મંડળ તથા વલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં દરબાર ગોપાળદાસ દેસાઈ-ભક્તિબાના અમેરિકા સ્થિત 93-વર્ષીય ડોકટર પુત્ર બારીન્દ્રભાઈ દેસાઈ, પૌત્ર માર્ક બારીન્દ્રભાઈ દેસાઈ, દિલ્હી સ્થિત પૌત્રી અને જાણીતાં નૃત્યાંગના પપીહા યોગેન્દ્રભાઈ દેસાઈ, પ્રપૌત્ર સંભવ ધીરેન્દ્રભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ નાનકભાઈ મેઘાણી, વજુભાઈ શાહ-જયાબેન શાહના અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક પુત્ર ડૉ. અક્ષયભાઈ શાહ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પૂર્વ-અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પૂર્વ-પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા,

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા અને મંત્રી પરાગભાઈ ત્રિવેદી, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને વૈજ્ઞાનિક ડૉ. અનામિકભાઈ શાહ, વલ્લભ કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ મધુભાઈ દોંગા, રમેશભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ ગોહિલ, નિયામક હીરાબેન માંજરિયા, પૂર્વ નિયામક હેમલતાબેન રૂપાણી, ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન જયદેવભાઈ જોષી, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ વિભાગ) લલિતભાઈ મોઢ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્થા સંઘના પ્રમુખ અને સમન્વય (રાજકોટ)ના મંત્રી અજયભાઈ દોશી, સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટના ટ્રસ્ટી, માનદ્‌ નિયામક દિલીપભાઈ શુક્લ, સંશોધક-લેખક રાજુભાઈ દવે, સુરેન્દ્રભાઈ પટેલ (ઈંગ્લેન્ડ),

આશાબેન કૃષ્ણકાંતભાઈમબૂચ (ઈંગ્લેન્ડ), ભરતભાઈ કારાણી (દુબઈ), ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વાઘજીભાઈ સોલંકી (રાજકોટ), અમરેલીથી વિપુલ ભટ્ટી, આચાર્યો વર્ષાબેન ડવ, ચેતનાબેન આહ્યા, મીનાબેન શુકલ, અલ્પેશભાઈ જોષી, હોસ્ટેલ વિભાગના નીતાબેન ચૌહાણ, ડૉ. કલ્પનાબેન મહેતા, જયમલભાઈ ચૌહાણ, દિપેશભાઈ બક્ષી, અનવરભાઈ ઠેબા, અનિલભાઈ દશાણી, તુષારભાઈ ભટ્ટ, પીયૂષભાઈ વ્યાસ, વાલજીભાઈ પિત્રોડા, જ્ઞાનદેવસિંહ રાઠોડ, શિક્ષકો, વાલીઓ સહિત વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાં હતાં.    

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. ઝવેરચંદ મેઘાણી કૃત રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો પર વિદ્યાર્થીનીઓ મન મૂકીને ગરબે રમી હતી. જાણીતાં સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન અને મુકુંદ જાનીનું વાદ્ય-વૃંદ હતું. આઝાદીની લડતમાં આહુતિ આપનાર વીર શહીદો અને સ્વાતંત્ર્યસેનાનીઓને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વાઘજીભાઈ સોલંકી તથા વિપુલ ભટ્ટી દ્વારા ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ, દેવેન્દ્રભાઈ દેસાઈ, ધીરૂભાઈ ધાબલિયા, હિંમતભાઈ ગોડા, મધુભાઈ દોંગા, સરોજબેન અંજારિયા, ઉર્મિલાબેન દેસાઈ તેમજ સંસ્થાના નિયામક હીરાબેન માંજરિયાનું દરબાર સાહેબ તથા ભક્તિબાની પ્રતિકૃતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી દ્વારા 2014માં લિખિત દરબાર ગોપાળદાસ દેસાઈના જીવન-કાર્યને આલેખતું પુસ્તક “Prince of Gujarat” નો રસપ્રદ ગુજરાતી અનુવાદ એક અનોખો રાજવી – દરબાર ગોપાળદાસ દેસાઈ : 1887-1951 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અમેરિકા સ્થિત સાહિત્ય-અભ્યાસુ ઈજનેર પુત્ર અશોકભાઈ મેઘાણીએ કર્યો છે. ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન આ અવસરે કરવામાં આવ્યું હતું. ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈના સૌજન્યથી આ પુસ્તક ગુજરાત રાજ્યના 300 જેટલી સરકારી પુસ્તકાલયોને ભેટ આપવામાં આવશે.

વિશ્વભરમાં વસતાં 20 લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્મનું ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ માણ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/