સોમનાથ માં ઓપન સૌરાષ્ટ્ર કચ્છ દિવ દાંડીયા તાલીરાસ સ્પર્ધાનું ભવ્ય આયોજન આમંત્રીત ખૈલેયાઓનો સ્પર્ધામાં સમાવેશ કરાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/citywatch-16-300x132-6-1140x528.jpg)
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ સુત્રાપાડા તાલુકાની અગ્રગણ્ય જાહેરખબર એજન્સો ડી.કે.ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રીનું તા.૧૩/૧૦/૨૩ ને શુક્રવારે ગુજરાતની અસ્મીતા તથા સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી ઓપન સૌરાષ્ટ્ર કચ્છ દીવ દાંડીયા તાલીરાસ હીરફાઈનું આયોજન કરેલ છે તેમાં ફકત આમંત્રીત ખૈલેયાઓ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવશે.
૨૫ વર્ષોથી સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના જોડીયા વેરાવળ શહેરમાં યોજાતી આ અનોખી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કચ્છ દિવસના ખેલૈયાઓનેપોતાનું કૌશલ્ય કૌવત બતાવવાની તક મળે છે નવરાત્રી શરૂ થાય ત્યારે માં નવદુર્ગાની શ્રધ્ધા,આરાધના,આસ્થા સાથે યોજાતા દાંડીયા તાલીરાસમાં યુવકો યુવતીઓ બાળકોને પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવા માટે અનોખી તક આપવામાં આવે છે સમ્રગ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યાદગાર સંભારણું બની રહેતે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે.
આમંત્રીત ખૈલેયાઓને સ્પર્ધામાં સમાવેશ કરાશે તેમજ આ સ્પર્ધા માં પ્રવેશ ફકત આમંત્રીત મહેમાનો માટે છે સ્પર્ધાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે પુર્વ અને પશ્ચીમની સંસ્કૃતિના દાંડીયા તાલીરાસની ફરીફાઈ માં ખૈલેયાઓ રંગબેરંગી વેશભુષા સાથે ઉપર પડશે આ મસ્તી ભર્યા માહોલ ખેલૈયાઓ માટે એક યાદગાર સંભારણું બની રહેશે આકાર્યક્રમદર વર્ષે અતી લોકપ્રિયબનતો જાય છે હરીફાઈમાં સ્પર્ધકોને આકર્ષક ભેટ સોગાદાની હારમાળા વડે નવાજવામાં આવ છે.
Recent Comments