અમરેલી : સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતા ઠેબી નદી ઉપર બ્રિજનું કામ શરુ હોવાથી અન્ય રૂટનો ઉપયોગ કરવો

અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતો કુંકાવાવ તરફ જવાના માર્ગ ઉપર ઠેબી નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓએ પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતા કુંકાવાવ તરફ જવાના માર્ગ પરના પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓને જવા-આવવા માટે બંને તરફ પસાર થતા વાહનોએ અન્ય વૈકલ્પિક રૂટ અથવા પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર – હયાત મેજર બ્રિજ – શિવાજી સર્કલ – જેસીંગપરા – કુંકાવાવ રસ્તા ઉપર પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા: ૧૧/૦૫/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
Recent Comments