દામનગર ખેડૂત આંદોલન ભારત બંધ ની કોઈ અસર વગર તમામ વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર માર્કેટયાર્ડ ફ્રુટ માર્કેટ હીરા ઉદ્યોગ પૂર્વવત રીતે શરૂ રહ્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2020/12/IMG20201208101820-1140x620.jpg)
![](https://citywatchnews.com/wp-content/uploads/2020/12/images-3.jpg)
દામનગર ૮ ખેડૂત સંગઠનો દ્વારા સેન્ટ્રલ ના ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ માં દિલ્હી માં ચાલતા ખેડૂત આંદોલન ના ભારત બંધ ના એલાન ની કોઈ પણ અસર વગર દામનગર શહેર ના માર્કેટયાર્ડ સહિત મુખ્ય બજારો વેપાર ઉદ્યોગ પૂર્વવત રીતે શરૂ જોવા મળ્યા દામનગર શહેર ના માર્કેટ યાર્ડ માં ખેડૂતો દ્વારા જ શાકભાજી ની આવક પૂર્વવત રીતે થઈ અને હરરાજી શરૂ રહી હતી અનાજ કિરણા કાપડ બજારો ફ્રુટ માર્કેટ હીરા ઉદ્યોગ હીરા બજારો ખાણીપીણી હોટલ રેસ્ટોરન્ટ સહિત શહેરી અને ગ્રામ્ય માં ચાલતા ઉદ્યોગ વેપાર રોજગાર ઉપર ખેડૂત આંદોલન ના ભારત બંધ ની કોઈ અસર જોવા મળી ન હતી પૂર્વવત રીતે તમામ બજારો વેપાર ઉદ્યોગો ધંધા રોજગાર શરૂ રહ્યા હતા શહેર ની તમામ શાકમાર્કેટ ફ્રુટમાર્કેટ પૂર્વવત શરૂ જોવા મળી હતી
Recent Comments