અમરેલીમાં કોરોના વધુ 22 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 173 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3340 પર
![](https://citywatchnews.com/wp-content/uploads/2020/12/B718D605-EAE8-407C-8274-98FC46DBEC6D-2.jpeg)
હાલ અમરેલી જિલ્લામાં લગ્નસરાની સિઝન પુરી થતાં આગામી દિવસોમાં પોઝિટિવ કેસમાં વધારો થવાની ભીતિ. આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે 14 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં હાલ લગ્નસરાની સિઝન પૂરી થઈ હોવાને કારણે આગામી દિવસોમાં પોઝિટિવ કેસોમાં વધારો થવાની ભીતિ સેવાય રહી છે. આમ પણ છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે સામે રિકવરી રેટ પણ સારો સુધારો થયો હોવાથી કોરોના દર્દીઓ કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ પણ વધુ થઈ રહ્યા છે જે રાહત આપે છે. તંત્ર કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા વિનંતી છે. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક ફરજીયાત પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરી પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 11 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 173 દર્દીઓ છે. આજે 14 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 39 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3340 પર પહોંચી છે.
Recent Comments