અમરેલીમાં કોરોના વધુ 7 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 144 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3456 પર
અમરેલી જિલ્લામાં જનતાના સહયોગથી તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવામાં સફળતા મળી રહી છે. સતત ત્રીજા દિવસે પણ ફક્ત 7 પોઝિટિવ કેસ નોંધાયા સામે 14 કેસો ડિસ્ચાર્જ.
સતત ત્રીજે દિવસે પણ ફક્ત 7 પોઝટિવ કેસ નોંધાયા સામે 14 ડિસ્ચાર્જ. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન. અમરેલી જિલ્લામાં જનતાના સહયોગથી તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ ફક્ત 7 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટ સારો હોવાથી આજે 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપી રહ્યા છે તે ચાલુ રાખવા વિનંતી છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 19 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 144 દર્દીઓ છે. આજે 14 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3456 પર પહોંચ્યો.
Recent Comments