fbpx
અમરેલી

અમરેલીજિલ્‍લા ભાજપની ચિંતન શિબિર સંપન્‍ન થઈ

સાસણગીર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્‍થિતિમાં અમરેલી જિલ્‍લામાં આગામી મહિને સંભવિત યોજાનારી પાલિકા/ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને જિલ્‍લા ભાજપ પરિવારની ચિંતન શિબિર સાસણગીર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ભાજપા પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રભારી જયંતીભાઈ કવાડીયા, ભરત ગાજીપરા, જિલ્‍લા ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, અશ્‍વિન સાવલીયા, કાંતિભાઈ સતાસીયા, બાવકુભાઈ ઉંઘાડ, ગોપાલભાઈ વસ્‍તરપરા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts