fbpx
અમરેલી

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો

અવિરત સેવાકાર્યો કરનાાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા ઘ્‍વારા તાજેતરમાં રર7મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, જીલ્‍લા અંધત્‍વ નિવાર સમિતિ અમરેલી, નિયામક આયુષ-ગાંધીનગર તથા આર્યુવેદ શાખા જિલ્‍લા પંચાયત અમરેલી તથા આયુર્વેદ દવાખાનું-મોરંગી તથા સરકારી હોમિયોપેથીક દવાખાનું-જાળીયાનાં સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્‍પનો શુભારંભ મંગલ દિપના પ્રાગટયથી થયો હતો.આ પ્રસંગે સંસ્‍થાના વડા રતિદાદા, કેમ્‍પના સહયોગી દાતા સંજયભાઈ ભુવા, શ્રીનાથજી કિરાણા સ્‍ટોર્સ-ચલાલા તથા ઉપસ્‍થિત મહેમાનો ઘ્‍વારા દિપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું.

રતિદાદાએ બધાને સારૂ થઈ જાય અને સારૂ થયા પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્‍યસનમુકત રહેવું, સત્‍યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી 8પ દર્દીઓને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ખાતે લઈ જઈ અને ફેકો મશીન ઘ્‍વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્‍યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો. અદિતિબેન તથા ડો. રાજલબેન ઘ્‍વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્‍યે પુરી આપવામાં આવી હતી. આયુર્વેદિક કેમ્‍પમાં ડો. આરતીબેન, ડો. પિયુષભાઈ ત્રિવેદી, ડો. પ્રકાશભાઈ ઘ્‍વારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. આ કેમ્‍પમાં ચા-પાણી, ભોજનની તમામ વ્‍યવસ્‍થા મહેશભાઈ મહેતા ઘ્‍વારા ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા તથા શિતલબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/