ચંદુભાઈ સંઘાણીની ૩૦ મી મેરેજ એનીવર્સરી નિમીતે મિત્ર જયસુખભાઈ માલવીયા દ્વારા બાળાઓને વસ્ત્ર દાન
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/WhatsApp-Image-2021-02-17-at-3.11.06-PM-1140x620.jpeg)
ચંદુભાઈ સંઘાણીની ૩૦ મી મેરેજ એનીવર્સરી નિમીતે મિત્ર જયસુખભાઈ માલવીયા દ્વારા બાળાઓને વસ્ત્ર દાન આ દુનિયામાં જો કોઈ કપરામા કપરૂ દુઃખ હોય તો તે છે નાની ઉમરમા માં – બાપની છત્રછાયા ગુમાવવી , આવા કપરા સમયની અને જવાબદારી લેવાના કારણે પરિવારના લોકો પણ સાથ છોડી દેતા હોય છે ત્યારે , ” અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ” ના મેનેજીંગ ડાયરેકટર ચંદુભાઈ સંઘાણી આવી અનાથ બાળાઓની વહારે આવી અમરેલી મહિલા વિકાસ ગૃહ ‘ નામની સંસ્થાને મદદરૂપ થતા હોય છે અને તમામ દિકરીઓને પોતાના પેટની દિકરી માની તેની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લેવા આગળ આવ્યા અને આપણા દેશ અને સમાજ માટે એક એવું ઉદાહરણ પુરૂ પાડ્યું છે જેનું વર્ણન કરવુ અશકય આજ અમરેલી મહિલા વિકાસ ગૃહ માં અનેક બાળાઓનો સંર્વાગી વિકાસ થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે . સેવાભાવી દાતાઓ પરોપકારની ભાવનાથી સેવાઓ આપે છે , આ હરોમાંજ મુળ ચલાળા ગામના વતની અને હાલ અમદાવાદના બિઝનેશમેન એવા જયસુખભાઈ માલવીયા છેલ્લા ઘણા વર્ષોથી દર ત્રણ મહિને તમામ બાળાઓને કપડા આપવાની જવાબદારી લીધી છે ત્યારે ચંદુભાઈ સંઘાણીએ જયસુખભાઈનો ખુલ્લા દિલે આભાર વ્યકત કર્યો .
Recent Comments