fbpx
રાષ્ટ્રીય

મથુરા જેલમાં મહિલા કેદી શબનમને ફાંસી અપાશે, તૈયારીઓ શરૂ આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે


અમરોહાની શબનમે ૨૦૦૮માં પ્રેમી સાથે મળી અડચણરૂપ બનેલ પરિવારના ૭ લોકોની કુહાડીથી કાપી હત્યા કરી હતી, સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત્‌ રાખ્યો, રાષ્ટ્રપતિએ પણ અરજી ફગાવી

નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત કરી
મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની રહેનારી મહિલા શબનમે અપાઈ શકે છે. તેણે એપ્રિલ ૨૦૦૮માં પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ ૭ પરિવારના સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. મથુરા જેલ પ્રશાસનને દોરડાન ઓર્ડેર આપ્યો છે. ર્નિભયા કાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જાેકે ફાસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જાે શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.


જાેકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જાેકે રાષ્ટ્રપતિ ભવને તેની અરજીને ફગાવી દીધી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેની ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસી ઘર એક માત્ર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.

મથુરા જેલમાં ૧૫૦ વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી. વરિષ્ઠ જેલ અધીક્ષકના જણાવ્યા મુજબ હાલ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જાેકે અમે તૈયારી શરૂ કરી દીધી છે. દોરડા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. ડેથ વોરન્ટ ઈસ્યુ થતા જ શબનમ-સલીમને ફાંસ આપવામાં આવશે. જાેકે સલીમને ફાંસી ક્યાં આપવામાં આવશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.

અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ ૨૦૦૮ની ૧૪-૧૫ એપ્રિલ દરમિયાન થયેલી ઘટનાને કોઈ ભૂલ્યું નથી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે પોતાના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, માં હાશમી, ભાઈ અનીસ અને રશિદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી કત્લ કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળુ દબીને હત્યા કરી દીધી હતી. આ લોકો તેમના પ્યારના માર્ગમાં અડચણ હતા.

આ મામલમાં અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. જે પછી ૧૫ જુલાઈ ૨૦૧૦એ જિલ્લા જજ એસ એ હુસૈનીએ શબનમ અને સલીમને ત્યાં સુધી ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો હતો, જ્યાં સુધી તેમનો જીવ ન નીકળે.
ર્નિભયા કાંડના દોષિતોને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. અગાઉ પવને ર્નિભયાના દોષિતોને ફાંસીએ લટકાવ્યા હતા. ર્નિભયાના દોષિતોને ૨૦ માર્ચે ફાંસીની સજા આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/