રાજવિપરિવાનું સંભારણું અને શહેરની જનતાનું નજરાણું અમરેલીના પ્રચલીત રાજમહેલને મરામત કરો રાજય સરકારને રજુઆત કરતા કૌશિક વેકરીયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/KAUSHIK-VEKARIYA-1.jpg)
ખાસ ગ્રાન્ટ ફાળવણી તળે મહેલની મરામત કરવા રાજય સરકારમાં રજુઆત પ્રજાવત્સ રાજવી પરિવારના શાસનનું અડીખમ સંભારણું અમરેલીનો રાજમહેલ . શહેરના જોવાલાયક સ્થળોમાં જેનો સમાવેશ થયેલ છે અને અમરેલી શહેરની લોકલાગણી સાથે વણાયેલ છે તે રાજ મહેલ રાજવી શાસનની અનેક યાદો લઈને અડીખમ ઉભો છે પરંતુ બીનસાચવણી અને માવજતના અભાવે આ રાજવી પ્રતિક જીર્ણશિર્ણ અવસ્થા તરફ જતો હોય રાજય સરકાર તરફથી વિશિષ્ટ – ખાસ પ્રકારની ગ્રાન્ટ ફાળવીને આ રાજ મહેલની મરામત આવશ્યક છે તે અંગેની કાર્યવાહી સત્વરે થવા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ રાજય સરકારમાં રજુઆત કરી છે . વેકરીયા એ વધુમાં જણાવ્યું છે કે , મરામત થતા મહેલની શાન અને શહેરના શાસનના ભૂતકાળનો ભવ્ય વારસો આવનાર પેઢી માટે પ્રેરણાદાયી બની રહે તેમ હોઈ , ખાસ પ્રકારની ગ્રાન્ટ ફાળવી રાજ મહેલનું રીનોવેશન કરવા અંગે રાજય સરકારમાં વેકરીયાએ રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે .
Recent Comments