સાવરકુંડલા તાલુકા ના સરપંચો અને કોંગ્રેસ સમિતિ દ્વારા રેતી, અને માટી મંજૂરી બાબતે આવેદનપત્ર પાઠવામાં આવેલ 
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/03/IMG20220311122010-1-1140x620.jpg)
આજ રોજ પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા છે ત્યારે સરપંચો દ્વારા સાવરકુંડલા તાલુકામાં હાલમાં રેતી અને ખેડૂતોને માટી માટે મામલતદાર અને પ્રાંત અધિકારી ને આવેદન આપવામાં આવ્યું કે હાલ રેતી વગર કોઈ ઓન બાંધકામ થઈ શકતું નથી અને ખેડૂતોને હાલ તળાવની માટીથી ખેતરોમાં પુરાણ કરવાના જેથી તેમની મંજૂરી આપતા નથી એટલા માટે રેતી અને માટીની મંજૂરી માટે આવેદન આપવામાં આવ્યું અને તેમનો ટેકો કૉંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે ટેલિફોનિક વાત કરી હતી હાલ વિધાનસભાના ચાલુ હોય તેમ આ રજુઆત કરી રહ્યા છે તેવું કહેલ અને સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને રૂબરૂ મળી તે રેતી પર પ્રતિબંધ હોવાના કારણે નવા બાંધકામના કામો થતા નથી. જેથી નવા ગ્રામ પંચાયતના વિકાસના કામો મંજુર થયા છે પણ રેતી ન મળવાના કારણે નવા વિકાસના કામો કરી શકતા નથી અને અમારા સાવરકુંડલા તાલુકાના ટુંક સમય પહેલા વાવાઝોડાના કારણે હજારો મકાન પડી ગયા હતા જેથી તે નવીન મકાન અત્યારે બનાવવા લોકો ને રેતી ન મળવાના કારણે મકાન બનાવી શકતા નથી અને સાવરકું. ડલા તાલુકામા રેતી ન મળવાના કારણે સાવરકુંડલા તાલુકાના લોકો ને નવા બાંધકામ કરવા હાલમાં ખુબ જ મુશ્કેલી ઉભી થઈ રહી છે જેથી કાયદેસર નદીઓમાં બ્લોક ફાળવી રેતી લેવાની મંજુરી આપવા આપ સાહેબ ને વિનંતી.
અને અમારા તાલુકામાં ખેડૂતોને ખેતરો લેવલીંગ કરવા તળાવની માટીનોની મંજુરી આપતા નથી અને જો માટી તળાવ માંથી નાખે તો તંત્ર દ્વારા ટ્રેક્ટરરો પકડી લાખો રૂપિયા દંડ આપવામાં આવે છે જેથી ગામના તળાવ ઉંડા ઉતરે અને ખેડૂતોના ખેતરોમાં માટી નાખી શકે તે માટે માટી તળાવમાં ઉપાડવા મંજુરી આપવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ સાવરકુંડલા તાલુકાના સરપંચો અને આગેવાનો તેમજ તાલુકાકોંગ્રેસ પ્રમુખ ની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવેલ જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, જીલ્લા કોંગ્રેસ સમિતિ મંત્રી શ્રી હાર્દિકભાઈ કાનાણી, જીલ્લા કોંગ્રેસ સમિતિ મંત્રી ભરતભાઈ ગીડા, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રી અશ્વિનભાઈ ધામેલીયા , કુમનભાઈ રૈયાણી તેમજ આગેવાનો અને તાલુકા પંચાયત ના સદસ્યો તેમજ કાર્યકરો કાળુભાઈ કાતરીયા, ગોવિંદભાઈ વેકરીયા, દીપકભાઈ સભાયા, મનીષભાઈ કાનાણી, જસુભાઇ ખુમાણ, મુન્નાભાઈ ડાભી, શામાંલાભાઈ કાતરીયા, ઘન્શાય્મ્ભાઈ કાનાણી, બકુલભાઈ કાનાણી, રાવજીભાઈ લખાણી, રમેશભાઈ સાવલિયા, જેન્તીભાઈ ગોઠડીયા, રસિકભાઈ સાવલિયા ,ધીરુભાઈ ધડુક, કમલેશભાઈ રીબડીયા કાળુભાઈ જેબલિયા, રવજીભાઈ લખાણી ,નરેશભાઈ ખુમાણ, જયદીપભાઈ ખુમાણ, શિવરાજભાઇ મૈત્રા મધુભાઈ લાડુમોર વગેરે મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.
Recent Comments