સાવરકુંડલા શહેરમા દેવળાગેટ, શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે પર્યાવરણ ચેતના પદયાત્રાનું આગમન
…ભારતીય સંસ્કૃતિ ગૌ-સેવા અને વિવિધ સમસ્યાઓના સમાધાન સાથેની અદ્ભૂત ગૌકથા કરાઈ..સાવરકુંડલા શહેરમા તારીખ ૨૨-૪-૨૦૨૨ના સવારે પર્યાવરણ ચેતના પદ યાત્રાનું દેવળા ગેઈટ કૃષ્ણ ગૌશાળા ખાતે આગમન થયું. શ્યામ દળ નામનું એક પદયાત્રા ગ્રુપ રાજસ્થાન મહારાણા પ્રતાપના હલ્દીઘાટીથી પદયાત્રા દ્વારા પ્રસ્થાન કરીને કુલ નેવુ હજાર(૯૦૦૦૦) કિલોમીટર ફરી ૧૯૦૦૦ ગામ શહેરમાં ગૌમાતાનો સંદેશ પ્રસરાવીને અહીં સાવરકુંડલા શહેરમાં પહોંચેલ… આ પદયાત્રાનું માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ અને ગૌપ્રેમી અને ગૌભકતોએ ભાવપૂર્વક સ્વાગત કરેલ. આજરોજ આ પદયાત્રામાં પધારેલ એક તપસ્વીનીના વરદ મુખેથી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ,ગૌમાતાની સેવા અને તેના દ્વારા અનેક વ્યાધિઓને દૂર કરવાના ઉપાયો સાથે ગૌમાતાની કથાનું ભાવમય શૈલીમાં ગાન કરવામાં આવેલ. જેનો ગૌપ્રેમી ભક્તોએ લાભ લીધેલ. આ પદયાત્રા કોઈપણ પાસેથી પાઇ પૈસો લીધા વગર માત્ર ગાયમાતાના રક્ષણ-જતનનો ઉદ્દેશ અને સંદેશ સમગ્ર ભારતમાં ફેલાય તે હેતુસર યાત્રા કરી રહી છે.
Recent Comments