fbpx
અમરેલી

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૭ જુલાઈએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૭ જુલાઈ, ૨૦૨૨ને શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યે વેલ્સન ફાર્મર ફર્ટીલાઇઝર પ્રા.લી. આણંદ માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ડિજિટલ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ધો.૧૦ પાસ લઘુતમ લાયકાત ધરાવતા હોય તેમજ આઈ.ટીઆઈ. ઈલેક્ટ્રીશિયન તથા વાયરમેનની તકનીક શૈક્ષણિક લાયકત ધરાવતા ફક્ત પુરૂષ ઉમેદવારો રોજગાર ભરતી મેળામાં અનુબંધમ વેબપોર્ટલ મારફતે ભાગ લઈ શકશે.

           આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/