દેવળીયા ગામે સ્થિત ૪૦૦ થી ૫૦૦ વર્ષ જુનુ પૌરાણીક શીવ મંદિરના સર્વાંગી વિકાસ માટે ભલામણ કરતા કૌશિક વેકરિયા
અમરેલી જિલ્લાના બે પ્રમુખ દેવસ્થાન એવા શ્રી જલારામબાપાની ગુરૂગાદી સમાન શ્રી ભોજાબાપાનું જન્મ સ્થળ તેમજ દેવભૂમિ દેવળીયા ખાતે પૌરાણીક શીવ
મંદિર આવેલ છે. આ બંને પ્રમુખ દેવસ્થાન પર હજારો દર્શનાર્થીઓ ગુજરાત તેમજ દેશ વિદેશથી દર્શનાર્થે આવતા હોય છે. આ ભવ્ય વારસાને સાચવવા તેમજ તેનો સમયાંતરે વિકાસ થાય તે હેતુથી આ બંને દેવસ્થાનોને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ સમાવવા અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયાએ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને ભલામણ કરી.
Recent Comments