દામનગર સિવિલ અજમેરા હેલ્થ સેન્ટર માં ફિઝિયોથેરાપીસ્ટ તબીબ ત્રણ વર્ષ થી ગેરહાજર
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/IMG_20230419_103824-994x620.jpg)
દામનગર શહેર માં ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર માં દામનગર શહેરી તેમજ ત્રીસ જેટલા ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સિવિલ હોસ્પિટલ માં ફિજીયોથેરાપીસ્ટ તબીબ ત્રણ વર્ષ થી ગેરહાજર વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ ફિજીયોથેરાપીસ્ટ ના સાધનો છે પણ તબીબ ત્રણ વર્ષ થી ઘેર હાજર હોવા ની સ્થાનિક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી ઉઠતી વારંવાર ની ફરિયાદ છતાં કાયમી ફિજીયોથેરાપીસ્ટ ની નિમણૂક કરશે ? વગર નોકરી એ અન્ય શહેર માં રહેતા ફિજીયોથેરાપીસ્ટ તબીબ સામે ત્રણ વર્ષ દરમ્યાન અસંખ્ય દર્દી નારાયણો ની લેખિત ફરિયાદો પછી આરોગ્ય વિભાગ ના ઉચ્ચ અધિકારી ઓ કેમ છુપ હશે ? દામનગર સિવિલ હોસ્પિટલ માં કાયમી ફિજીયોથેરાપીસ્ટ ની હાજરી અંગે સામાજિક કાર્યક્રર જેરામ પરમાર દ્વારા મંત્રી શ્રી ગુજરાત સરકાર આરોગ્ય તેમજ અગ્ર સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગાંધીનગર અધિક નિયામક શ્રી ગાંધીનગર અને જિલ્લા કલેકટર સાહેબ અમરેલી સહિત સબંધ કરતા વિભાગો માં લેખિત ફરિયાદ કરી દામનગર શહેર તેમજ અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ ગરીબ દર્દી નારાયણો માટે કાયમી ફિજીયોથેરાપીસ્ટ મૂકી મોંઘી ખાનગી સારવાર માંથી મુક્તિ આપો ની માંગ કરાય છે જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને સારવાર માટે અમરેલી જિલ્લા મથકે અવર જવર ખર્ચ અને ભારે યાતના નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર એ યોગ્ય સમય મર્યાદા માં કાયમી હાજર રહી શકે તેવા ફિજોયોથેરાપીસ્ટ ની નિમણૂક કરવા બુલંદ માંગ ઉઠી
Recent Comments