fbpx
અમરેલી

આયુષમાન ભારત અને સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત  બાળકો અને નવજાત માટે તા.૧૦ ઓક્ટોબરે અમરેલી ખાતે નિદાન કેમ્પ યોજાશે

આયુષમાન ભારત યોજના અંતર્ગત અમદાવાદ સ્થિત જયદીપ હૉસ્પિટલ- સ્માઇલ પ્રોજેક્ટના સહયોગથી અમરેલી સ્થિત શાંતા બા મેડિકલ કોલેજ ખાતે નિદાન કેમ્પ યોજાશે. બાળકો અને નવજાત માટે તા.૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સવારે ૧૦થી ૧૨.૩૦ કલાક સુધી યોજાનાર આ નિદાન કેમ્પ માટે બાળકોના ઓપીડી વિભાગ, ગ્રાઉન્ડ ફ્લોર રુમ નં. ૩૦-૩૧ ખાતે સેવાઓ આપવાામાં આવશે. જરુરિયાતમંદ હોય તેવા વધુમાં વધુ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા માટે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts