શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શિવરાત્રી
શ્રી વિશ્વાનંદમાતાજીના સાન્નિધ્ય સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શિવપૂજન અને સામાજિક કાર્યો સાથે શિવરાત્રીની ઉજવણી કરાશે.
શિવરાત્રી એટલે જીવ અને શિવના તત્વને જાણવાનું પર્વ છે. આથી શિવ ઉપાસના સાથે તમામ જીવના કલ્યાણ માટે પણ આપણે સત્કાર્ય કરવું જરૂરી હોવાનું શ્રી વિશ્વાનંદમાતાજીએ જણાવ્યું છે.
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે સરકારના કોરોના નિયમો માર્ગદર્શિકા સાથે ગુરુવારે શિવરાત્રીની ઉજવણી શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્ય સાથે ભૂદેવો દ્વારા વિશેષ શિવપૂજન તેમજ વૃક્ષારોપણ સંકલ્પ, પક્ષીઓને ચણ, ગાયોને નીરણ વગેરે સામાજિક કર્યો સાથે કરાશે.
Recent Comments