ભાવનગર શિશુવિહારમાં ૭૫માં સ્વાતંત્ર્યપર્વ ની ઉજવણી “જીવન શિક્ષણ” અંતર્ગત જરૂરિયાત મંદ પરિવારોને સિલાઈ મશીન હાથલારી અર્પણ કરાયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/08/IMG-20210816-WA0022-1140x620.jpg)
ભાવનગર શિશુવિહારમાં ૭૫ માં સ્વાતંત્ર્યપર્વ માં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ફેલો પ્રોફેસર ડૉ . વિધુતભાઈ જોષીની અધ્યક્ષતામાં શિશુવિહાર શિશુવિહાર પ્રાંગણમાં સ્વાતંત્ર્યપર્વની હર્ષભેર ઉજવણી થઈ . જીવનશિક્ષણના તાલીમાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે ભાવનગરના તબીબ શ્રી અંજલીબહેન ભરતભાઈ ભીમાણીનાં વરદહસ્તે જરૂરિયાતમંદ ૬ બહેનો સીવણ સંચા , શ્રી હંસાબહેન હિમેશભાઈ ત્રિવેદીનાં વરદ્હસ્તે ૪ ગરીબ પરિવારોને હાથલારીનું વિતરણ તથા ભાવનગરના જાણીતા કલાશિક્ષક શ્રી અશોકભાઈ પટેલ , શ્રી રમેશભાઈ ગોહેલ તથા ‘ શિશુવિહાર ‘ સામયિકનાં ૫ અંકો કંપોઝ કરનાર શ્રી મનીષા કણબીનું વિશેષ અભિવાદન થયું હતું . સમગ્ર ગુજરાતને ઘર – પુસ્તકાલય દ્વારા વાંચન અભિભૂખ કરનાર ડૉ . પ્રતાપભાઈ પંડયાની સ્મૃતિમાં ‘ સમૃદ્ધ ભારત ‘ વિષયે તૈયાર થયેલ ચિત્રોના કેલેન્ડરનું વિમોચન અમરેલીથી જિલ્લા સાહિત્ય સર્જક પ્રવૃત્તિના સંચાલક શ્રી ઉમેશભાઈ જોષી તથા ઉદયભાઈ દેસાઈએ અધ્યક્ષશ્રીની પ્રેરક હાજરીમાં કર્યું . ક્રીડાંગણનાં તાલીમાર્થીઓની બૅન્ડ સલામી અને માર્ચ પાસ્ટ સાથે યોજાયેલ સમારોહમાં ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ . વિધુતભાઈ જોષીએ ‘ ર ૧ મી સદીના ગાંધી માર્ગ ’ વિષયે મનનીય વકતવ્ય આપ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં કાર્યકરોએ અત્યંત નિષ્ઠાથી યોજી ૭૫ સેવા પ્રવૃત્તિઓ માટે સંકલ્પબદ્ધ થયાં હતા
Recent Comments