fbpx
ભાવનગર

ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ ના ઉપક્રમે શનિવારે અભિવાદન સમારોહ યોજાશે

ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ ના ઉપક્રમે અભિવાદન સમારોહ યોજાશે ભાવનગરનાં પ્રબુદ્ધ નાગરિક જીવનને સમાજ ઉપયોગી રાખતી શહેરની સાત સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નવ સેવાના ભેખધારી નાગરિકોનુ સન્માન યોજાશે. મુંબઈ સ્થિત માનવજ્યોત સંસ્થાનાં અધ્યક્ષ શ્રી કુલિનભાઈ લુઠિયાના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાતના જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેની વિશેષ ઉપસ્થિતિમાં શિશુવિહાર પ્રાંગણમાંતારીખ ૨૯ શનિવાર સાંજે ૫:૩૦ કલાકે યોજાનાર સમારોહમાં ભાવનગર સ્થિત ગોળીબાર હનુમાન અન્નક્ષેત્ર ગુરુદ્વારા, નારાયણ સેવા ટ્રસ્ટ, હૉસ્પિટલમાં અન્નક્ષેત્ર ચલાવતા સવિચાર

તથા રોબિનહુડ સંસ્થાનું પ્રમાણપત્ર અને સાહિત્ય સંપુટથી અભિવાદન થશે.આ પ્રસંગે ભાવનગરની નિષ્કામ ભાવથી સેવા કરતા પર્યાવરણ પ્રચારક શ્રી કિશોર ભટ્ટ, લોક શિક્ષક મેહુલ હરસોરા, ડૉ. ઓમ ત્રિવેદી તેમજ તબીબ ડૉ. તેજસ દોષી સાથે શહેરના ૧ લાખ ૭૫ હજાર ઘરોમાં કાપડની થેલી પહોંચાડનાર દક્ષાબહેન ગોહેલ ઉપરાંત શહેરનાં ઘર ઘરમાં શાંતિ પ્રાર્થના ગુંજ્તી રાખનાર જયરાજસિંહ્નાઈનું વિશેષ અભિવાદન થશે.ભાવનગરની ઓળખ સમાન સેવા સુવાસના વિસ્તાર માટે કાર્ય માટે પ્રવૃત્ત ડૉ. નલિનભાઈ પંડિત અને પરેશભાઈ ત્રિવેદી પ્રેરિત સતત ચોથા વર્ષે યોજાતા કાર્યક્રમમાં પધારવા નાગરિકોને હાર્દિક નિમંત્રણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/