મૃતક આયુષ પટેલનો મૃતદેહ કેનેડાથી ભાવનગર લવાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/05/Page-28-1-1140x620.jpg)
મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી હતી, સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટૉરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. જે ગઈ તારીખ ૫ મેએ ગુમ થઇ ગયો હતો, બાદમાં તેની લાશ મળી આવી હતી, હવે આ યુવાનના મૃતદેહને ભાવનગરમાં લાવવામાં આવ્યો છે. મૃતક પટેલ યુવાન આયુષ પટેલ છેલ્લા ચાર વર્ષથી ટૉરેન્ટોમાં આવેલી યોર્ક યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો, જે ગઇ ૫ મએ યોર્ક યૂનિવર્સિટીએ જવા માટે નીકળ્યો હતો, બાદમાં તેનો મૃતદેહ મળ્યો હતો. હવે આયુષના પાર્થિવ દેહને તેના મૂળ ગામ ભાવનગરમાં લાવવામાં આવ્યો છે. થોડીવાર બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવશે મૃતક આયુષ પટેલના પિતા રમેશભાઈ ડાખરા ડ્ઢઅજॅ તરીકેની ફરજ બજાવે છે. મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી ર્રૂિા યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. હાલ આયુષનાં પરિવારજનો રહસ્યમય મોતના મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.
Recent Comments