શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ નાં કાળા તળાવ ગામે આરોગ્ય શિબિર યોજાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/IMG-20240629-WA0031-1140x620.jpg)
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૯ જૂન ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં કાળા તળાવ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૩૦ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દી નારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ.અરવિંદભાઈ ત્રિવેદી અંકિતાબહેન ભટ્ટ રેખાબહેન ભટ્ટ યોગેશભાઈ શાહ તથા નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના સિનિયર આસિસ્ટન્ટ મુકેશભાઈ ગોહેલ તથા ગામનાં સરપંચ અશોકભાઈ તથા આચાર્ય મહેન્દ્રસિંહ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..
Recent Comments