બોગસ પેઢીઓને કારણે સારા વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે
ભેજાબાજાે અને કરચોરી કરી રહેલા તત્વોનો વાળ પણ વાંકો થઇ રહ્યો નથી, એકલ-દોકલ કરચોરો પર કાર્યવાહી કરી અને ચોપડે તંત્ર સંતોષ માની રહ્યું છે અને પોતાની કામગીરીના પત્રક ઉપરી અધિકારીઓ સમક્ષ રજૂ કરી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતોમાં સાચા-ઇમાનદાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટી તંત્ર સમક્ષ નોંધાયેલી પેઢી અને તેનો રજીસ્ટ્રેશન નંબર ખોટા દસ્તાવેજાેથી જનરેટ થયેલો છે કે ખોટો છે, તેની જાણ જેને ત્યાં ખરીદી થકી બિલ આવે તે વેપારીને કેમ થઇ શકે? ખરીદી કરનારા વેપારીને ચોખ્ખો જ વેપાર કરવો હોય છે, પરંતુ મુઠ્ઠીભર કરચોરોને કારણે થોકબંધ ઇમાનદાર વેપારીઓ, નિયમીત કર ભરી રહેલા વેપારીઓ દંડની કાર્યવાહીનો સામનો કરે છે.૬૦ મહિનાથી અમલમાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદામાં રહેલી અસંખ્ય ખામીઓને કારણે જેન્યુઅન વેપારીઓને સહન કરવું પડી રહ્યું છે. ખામી જીએસટીના રજીસ્ટ્રેશન અને અમલીકરણમાં છે અને તેનો ભોગ બનવું પડી રહ્યું છે વેપારીઓ-ઉદ્યોગપતિઓને.જીએસટીમાં બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવાના અને કરચોરીના સતત વધી રહેલા કિસ્સાઓને કારણે રેડ, સર્ચ, નોટિસો, સ્ક્રૂટિની સહિતની કામગીરી જીએસટી કરી રહ્યું છે.
Recent Comments