fbpx
ગુજરાત

ગુજરાતનો સુખી સંપન્ન પાટીદાર સમાજ ઝઝૂમી રહ્યો છે હાલ મોટી સમસ્યા સામે

પાટીદાર સમાજ એટલે ગુજરાતનો સુખી સંપન્ન સમાજ. આ સમાજ હાલ મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. એ છે પરણવા માટે કન્યાઓની અછત. ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ… ગાડી હૈ… પર બીવી નહિ… આજે મોટાભાગના પાટીદાર યુવકોના મનની આ પીડા છે. પાટીદાર યુવકોની હાલ પરણવા માટે કન્યા નથી મળી. સમાજમાં કન્યાઓની અછત થઈ પડી છે. આ માટે તાજેતરમાં વીસનગરમાં એક સીતા સ્વંયવર પણ કર્યો, એ પણ ફેલ ગયો. ત્યારે હવે પાટીદાર સમાજે નવી દિશામાં પહેલી કરી છે. પોતાના છોકરાવ વાંઢા રહે એના કરતા નિયમો બદલવા સારા. પાટીદાર સમાજે દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું છે. હવે લગ્ન માટે નવા નવા નિયમો લેવામા આવી રહ્યાં છે. સમાજ હવે નવી રાધ ચીંધી રહ્યો છે. હાલ પાટીદાર સમાજની સૌથી મોટી જાે ચિંતા દીકરીઓની અછતની છે. દીકરીઓની અછતને લઈ સમાજના અપરિણીત યુવાનોની અન્ય સમાજાેમાંથી તેમજ દલાલો મારફતે યુવતીઓ સાથે લગ્ન કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી રહી છે. જેમાં છેતરામણીના કિસ્સા પણ વધી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં યુવાનો પરિવાર સાથે દ્રોહ કરી આર્થિક નુકસાન પહોંચાડી પલાયન થઈ જતી હોવાની પણ અનેક ઘટનાઓ બની રહી છે. પાટીદાર સમાજમાં રહેલુ ગામોના વાડાપાડા પણ એક મોટુ દૂષણ છે. ગામોના બંધારણની બહાર લગ્ન થાય એવા નિયમોને કારણે આજે કેટલાય પાટીદાર યુવકો કુંવારા રહી ગયા છે. ત્યારે હવે ધીરે ધીરે આ ગામના વાડાબંધીનું દૂષણ પણ દૂર કરવામાં આવી રહ્યું છે. માજમાં રહેલા વિવિધ ગામોના વાડાપાડા દૂર કરી તમામ લેઉવા પાટીદાર એક થવા આહ્વાન કર્યું હતું.ગત વર્ષે ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજે એક નવી પહેલ કરી હતી. જેમાં દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું છે. લેઉઆ પાટીદાર સમાજે ગામના વાડાઓનો વ્યાપ વધાર્યો છે. જેમાં ૧૧૧ ગામની જગ્યાએ હવે ૨૨૧ ગામનું એક નવુ માળખુ બનાવ્યુ છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં સમાજની મળેલી બેઠકમાં આ નવા ઠરાવને મંજૂરી અપાઈ છે. હવે આ તમામ ૨૨૧ ગામોમાં લગ્ન માટે પસંદગી મેળા સહિત સમૂહ લગ્ન, નોકરી-ધંધા માટે પ્રથમ ક્રમાંકે રહે તે માટે સમાજ મક્કક બન્યો છે. આજથી ૨૩ વર્ષ પહેલાં ૨૦૦૧માં વસ્તી ગણતરી વખતે વિસનગરમાં ૦ થી ૬ વર્ષના બાળકોમાં ૧૦૦૦ દીકરાઓને જન્મદર સામે ૭૧૩ દીકરીઓ સાથે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે હતું. આ સિવાય મહેસાણા,ઊંઝા ની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. એટલે કે તે સમયે ઉત્તર ગુજરાતના આ વિસ્તાર સ્ત્રી ભૃણ હત્યાનું એપી સેન્ટર હતું. જેની અસર આજે આ વિસ્તારમાં કન્યાઓની ખેંચ સ્વરૂપે દેખાઈ રહી છે. ત્યાર બાદ વર્ષ ૨૦૧૧ માં પણ આ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર ન આવ્યો. આ સ્થિતિમાં સ્થાનિક પાટીદાર દીકરીઓની પહેલી પસંદ વિદેશમાં વસતા કે સરકારી નોકરી કરતા યુવાનો હોવાને કારણે સ્થાનિક યુવાનો સામે લગ્ન માટે કન્યા મેળવવી જટીલ પ્રશ્ન બની ગયો. ત્યારે હવે સમગ્ર દેશમાં વસતા પાટીદાર સમાજને કુર્મી પાટીદાર મહાસભાના નેજા તળે એક મંચ ઉપર લાવી અન્ય રાજ્યની યુવતીઓ સાથે સ્થાનિક યુવાનોના લગ્ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ચરોતરમાં દહેજ પ્રથાને કારણે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તેની જેમ જ સમય બદલતા સ્ત્રી ભૃણ હત્યા શરૂ થઈ, જેની અસર ૩૦ વર્ષ પછી પણ દેખાઈ રહી છે ત્યારે આ સમસ્યાનો એક જ ઈલાજ છે દીકરા અને દીકરી વચ્ચે ઉભી થયેલી અસમાનતા દૂર થાય. તાજેતરમાં મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જાે કે ૨૦૦ યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં ૪૦ યુવતીઓ હાજર રહી હતી. જેની સામે ૫૦૦ યુવકો હાજર રહ્યા હતા. કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો ર્નિણય લેવાયો છે. આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં ર્નિણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે. આ તમામ અગ્રણીઓએ એકમતે નક્કી કર્યું કે, મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે, તેમની સાથે સંબંધ કેળવવામા આવશે. ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે ર્નિણય લીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/