fbpx
ગુજરાત

રમકડાના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય અધિકારીઓ દ્વારા આઈએસઆઈ (ૈંજીૈં) માર્ક વિનાના રમકડાં બનાવાની માહિતીના આધાર પર તારીખ ૨૮.૦૮.૨૦૨૪ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ મહાજનિક ઉદ્યોગ, સર્વે નંબર ૧૦૩૯, પ્લોટ નંબર ૯૫ થી ૯૯, વારાહી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવડા, તાલુકા દસ્ક્રોઇ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના ૬૦૦૦ થી વધારે રમકડાંઓં જપ્ત કરવામાં આવ્યા. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના ઓર્ડર નંબર જી.ર્ં.૮૫૩(ઈ) અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી

બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ૈંજીૈં) માર્ક ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ૈંજીૈં માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ ૈંજીૈં માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાઇસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈ એસ આઈ માર્ક લગાવવું અથવા આઈ એસ આઈ માર્ક વિના રમકડાં બનાવવા, વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ ૨૦૧૬ના અનુચ્છેદ ૧૭ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂપિયા ૨,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જાેગવાઈ છે.

બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ૈંજીૈં માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે.

કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન આઈએસઆઈ (ૈંજીૈં) માર્ક વિના કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજાેમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૧૪, ફોન નં. ૦૭૯-૨૭૫૪૦૩૧૪ પર લખી શકે છે. ફરિયાદને ટ્ઠરર્હ્વજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ અથવા ર્ષ્ઠદ્બॅઙ્મટ્ઠૈહંજજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ પર ઈમેલ અથવા બીઆઈએસ કેયર એપ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/