fbpx
રાષ્ટ્રીય

તેંડુલકરના ટિ્‌વટ મુદ્દે ગુસ્સે થયેલ કેરળવાસીઓએ મારિયા શારાપોવાની માફી માંગી

ખેડૂતોના આંદોલનને લઈને સચિન તેડુલકરના ટ્‌વીટને લઈને ગુસ્સે થયેલા કેટલાય કેરળવાસીઓએ ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માફી છે, જે ૨૦૧૫ના એક ઈન્ટરવ્યૂમાં આ ચેમ્પિયન ક્રિકેટરને નહીં ઓળખવાના કારણે ટ્રોલ થઈ હતી. મોટા ભાગના લોકોએ જ્યાં વિશ્વની નંબર વન ખેલાડીની માફી માગી છે તો કેટલાક લોકોએ તેને કેરળ આવવાનું નિમંત્રણ આપ્યું છે.

એક યૂઝરે મલયાલમમાં લખ્યું, શારાપોવા તમે સચીનના મામલે સાચી હતી, તેનામાં એવા ગુણ નથી કે તમે તેને ઓળખો, પોતાના ટ્‌વીટર એકાઉન્ટ ઉપર ટ્‌વીટનો વરસાદ થતા શારાપોવાએ બુધવારે ટિ્‌વટ કર્યું, બીજાને કોઈને વર્ષના મામલે કન્ફ્યૂઝન છે?
હકિકતમાં સચિન સહિત ઘણા ભારતીય ક્રિકેટરોએ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં વૈશ્વિક હસ્તિયોના નિવેદનો બાદ ક્રિકેટરોએ સરકારનું સમર્થન કર્યું હતું. તેંડુલકરે લખ્યું હતું કે, ભારતની સંપ્રભુતા સાથે સમાધાન કરવામાં નહીં આવે. વિદેશી પરિબળો દર્શક હોય શકે છે પરંતુ સહભાગી નહીં. ભારતને ભારતીયો જાણે છે અને તે જ ભારત વિશે ર્નિણય લે છે. એક દેશ માટે સાથે આવવાની જરૂર છે.

જણાવી દઈએ કે મારિયા શારાપોવાએ ૨૦૧૫માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, તે તેંડુલકરને નથી જાણતી, ત્યાર બાદ ભારતીય ક્રિકેટરોએ તેમની ઘણી ટીકા કરી હતી. હકિકતમાં વિંબલડન મેચની એક પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે મારિયા શારાપોવાને જણાવ્યુ કે, આ મેચ જાેવા ડેવિડ બેકહેમ અને સચિન તેંડુલકર આવ્યા છે, શું તમે સચિન તેંડુલકરને જાણો છો? શારાપોવાએ તેનો જવાબ ના માં આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/