ઉત્તરાખંડ જલપ્રલયના હતભાગીઓને મોરારિબાપુ તરફથી સહાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/01132-1.jpg)
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/11212.jpg)
ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાને કરને તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ છે.જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલા તમામહતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૫ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડાતરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે. હાલમાં ટ્રસ્ટ દ્વારાઆ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાપરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.
Recent Comments