fbpx
રાષ્ટ્રીય

દેશમાં હાર્ટ એટેકથી દર મિનિટે ૪ વ્યક્તિ શિકાર બને છે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ૧,૧૭,૭૪૯ વ્યક્તિઓના હૃદય રોગના હુમલાથી મોત થયા છે. આ પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુ દરમાં ૫૩ ટકાનો વધારો થયો છે. પહેલા હાર્ટ એટેકે ઉંમર લાયક લોકોને જ આવે છે, તેવું માનવામાં આવતું હતું, પરંતુ હવે યુવાવર્ગ પણ ઝડપથી તેનો શિકાર બની રહ્યું છે. મોટાભાગે બેઠાડું જીવન જીવતા તથા ક્યારેક કસરત કે યોગ નહીં કરતાં લોકો માટે હાર્ટ એટેકનું જાેખમ વધુ હોય છે. વર્ષ ૨૦૧૫થી હાર્ટ એટેકમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે સને ૨૦૧૫માં દેશમાં ૧૮,૮૨૦ લોકોના હૃદય રોગના હુમલાથી મોત થયા હતા.

આ આંકડો સને ૨૦૧૯માં ૨૮,૦૦૫ પર પહોંચી ગયો હતો. જે પાંચ વર્ષમાં ૫૩ ટકાનો વધારો બતાવે છે. ૧૪ વર્ષથી ઓછી ઉંમરના અને ૧૪થી ૧૮ વર્ષની વયના વર્ગને બાદ કરતાં અલગ – અલગ વય જૂથોમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થયો છે. જ્યારે ૧૮થી ૩૦ વર્ષની વચ્ચેની વયના યુવકોના હૃદયરોગના હુમલાને કારણે થયેલા મૃત્યુનો આંકડો વર્ષ ૨૦૧૬માં ૧,૯૪૦ હતો. જે વર્ષ ૨૦૧૯માં ૨,૩૮૧ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત ૩૦થી ૪૫ વર્ષની વચ્ચેની વયના લોકોમાં પણ મોતનું પ્રમાણ વધારે હતું. જેમાં વર્ષ ૨૦૧૬માં ૬,૬૪૬ લોકોના હાર્ટ એકેટથી મોત થયા હતા. આ આંકડો વર્ષ ૨૦૧૯માં વધી ૭,૭૫૨ પર પહોંચી ગયો હતો. ૪૦થી ૬૦ની ઉંમર વચ્ચેના ૮,૮૬૨ લોકોએ વર્ષ ૨૦૧૬માં હૃદય રોગના હુમલાથી જીવ ગુમાવ્યા હતા, તો વર્ષ ૨૦૧૯માં મોતની સંખ્યા ૧૧,૦૪૨ થઈ હતી. વર્ષ ૨૦૧૬માં ૬૦ વર્ષથી ઉપરના ૪,૨૭૫ વૃદ્વોના મોત થયા હતા અને તેની સરખામણીએ વર્ષ ૨૦૧૯માં ૬,૬૧૨ લોકો મૃત્યુ પામ્યા હતા.

કાર્ડિયોલોજિ સોસાયટી ઓફ ઈન્ડિયાના અનુસાર ભારતમાં દર મિનિટે ૩૫થી ૫૦ વર્ષની વયના ૪ લોકોને હાર્ટ એટેક આવે છે. ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર લોકોમાં ૨૫ ટકાની ઉંમર ૩૫ વર્ષથી ઓછી હોય છે. કેટલાક લોકો સારા દેખાવા માટે વધુ કસરત કરે છે અથવા શરીરને એક વિશેષ આકાર આપવા સ્ટીરોઈડ્‌સનું સેવન કરે છે. આજે પણ જીમ જઈને બોડી બનાવવા અનેક લોકો સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે. મોટાભાગે આવા સ્ટીરોઈડને ઈન્જેક્શનના માધ્યમથી શરીરમાં પહોંચાડવામાં આવે છે. જેનું સીધું કનેક્શન હૃદય રોગની બિમારી સાથે છે. આવા લોકોને પણ હાર્ટ એટેક આવી શકે છે. ખાસ કરીને જે લોકો હાઈ ઈન્ટેનસિટી એક્સસાઈઝ કરે છે, તેમના હૃદયની ગતિ અચાનક વધી જાય છે. જેમાં હાર્ટ એટેક આવવાની સંભાવના વધુ રહે છે.

શરીરને ફીટ રાખવા રોજ અડધો કલાક કસરત જરૂરી છે, પરંતુ ઘણાં લોકો કલાકો સુધી કસરત કરે છે. ખાસ કરીને ચેઈન સ્મોકર્સ માટે હાર્ટ એકેટની શક્યતા વધારે રહે છે. ૨૦થી ૩૫ વર્ષના યુવકોને પણ હાર્ટ એટેક આવી શકે છે. એક રિસર્ચ મુજબ દેશમાં જીમ જનારા લોકોમાં લગભગ ૩૦ લાખ લોકો સ્ટેરોઈડનો ઉપયોગ કરે છે. જેમાં ૭૩ ટકા લોકોની ઉંમર ૧૬થી ૩૫ વર્ષની વચ્ચે છે. ભારતમાં કાર્ડિઓવાસક્યુલર ડિસીઝથી મૃત્યુની વાર્ષિક સંખ્યા ૨.૨૬ મિલિયન (૧૯૯૦)થી વધી ૪.૭૭ મિલિયન (૨૦૨૧) સુધીમાં થવાની ધારણા છે. દેશમાં ગ્રામીણ વસ્તીમાં ૧.૬ ટકાથી ૭.૪ ટકા અને શહેરી વિસ્તારમાં ૧ ટકાથી ૧૩.૨ ટકા સુધી કોરોનરી હૃદય રોગના વ્યાપ દરનો અંદાજ એનસીબીઆઈ દ્વારા લગાવાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/