fbpx
રાષ્ટ્રીય

ધર્મના નામ પર આપણે ક્યાં પોહચી ગયા : સુપ્રિમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે નફરત ફેલાવનારા ભાષણ અંગે કડકાઈ દાખવી છે. દ્વેષપૂર્ણ ભાષણો આપનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે “દેશમાં નફરતનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે”. ધર્મને ધ્યાનમાં લીધા વિના તાત્કાલિક પગલાં લેવા જાેઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નફરત ફેલાવનારા નિવેદનો પરેશાન કરનાર છે. આવા નિવેદનો સહન કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જાેસેફની બેંચે કહ્યું, ‘૨૧મી સદીમાં શું થઈ રહ્યું છે? ધર્મના નામે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે ભગવાનને કેટલો નાનો બનાવી દીધો છે? ભારતનું બંધારણ વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવાની વાત કરે છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટ “ભારતમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા અને આતંકિત કરવાના વધતા જાેખમ” ને રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે પણ આ મામલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાહીન અબ્દુલ્લાએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે કોર્ટ પાસે સમગ્ર દેશમાં દ્વેષપૂર્ણ ભાષણની ઘટનાઓની નિષ્પક્ષ, વિશ્વસનીય અને સ્વતંત્ર તપાસ માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં શાહીન વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા. તેમણે કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે કંઈક કરવું જાેઈએ. ઉપરાંત, જે વ્યક્તિ દ્વેષપૂર્ણ ભાષણ માટે દોષિત ઠરે તેની સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. તમને જણાવી દઈએ કે, અબ્દુલ્લાએ તેમની અરજીમાં માંગ કરી છે કે અપ્રિય ભાષણ અને નફરતના અપરાધના દોષિતો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ેંછઁછ) સહિતની ગંભીર કલમો લગાવવામાં આવે, જેથી અપ્રિય ભાષણ અને નફરતના અપરાધ પર અંકુશ લાવી શકાય. તેમણે કહ્યું હતું કે શાસક પક્ષના સભ્યો તેમના નફરતભર્યા ભાષણમાં મુસ્લિમ સમાજને નિશાન બનાવીને આતંકિત કરી રહ્યા છે. શાસક પક્ષના સભ્યો દ્વારા તેમના નફરતભર્યા ભાષણમાં મુસ્લિમ સમાજને નિશાન બનાવીને આતંકિત કરવામાં આવી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ નફરત સતત વધી રહી છે.

આવી દ્વેષપૂર્ણ ભાષણ કરનારાઓને સત્તાધારી પક્ષ દ્વારા પણ પ્રત્યક્ષ કે આડકતરી રીતે સમર્થન આપવામાં આવી રહ્યું છે. જાણો કેસની ખાસ મહત્વની વાતો. જેમાં કોર્ટે કહ્યું- જે આના પર કાર્યવાહી નહીં કરે તેને કોર્ટની અવમાનના ગણવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતા બંધારણની પ્રસ્તાવનામાં મુખ્ય રીતે સમાવવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટના મતે – દરેક વ્યક્તિની ગરિમા પણ સુનિશ્ચિત થવી જાેઈએ. સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નિર્દેશ આપ્યા છે. જાે કોઈ ફરિયાદ ન હોય તો પણ હેચ સ્પીચના ગુનેગારો સામે કેસ દાખલ કરો.

ન્યાયાધીશોની બેન્ચે બીજેપી સાંસદ પરવેશ વર્માના કથિત નફરતભર્યા ભાષણને વાંચ્યું. આમાં વર્મા કહી રહ્યા હતા – જાે જરૂર પડશે તો તેમના માથા કાપી નાખવામાં આવશે. કોર્ટે કપિલ સિબ્બલને પૂછ્યું – શું લઘુમતીઓ પણ આવા નિવેદનો કરે છે. આ પછી સવાલ ઉભો થયો – જાે તેઓ આવા નિવેદનો કરશે તો શું બચશે?. કોર્ટે સિબ્બલને પૂછ્યું – જ્યારે તમે કાયદા મંત્રી હતા ત્યારે તમે આ અંગે કાયદો લાવવા જતા હતા, તેમનું શું થયું?. કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું- રાજ્યસભામાં તે કાયદા પર કોઈ સહમતિ નથી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/