fbpx
રાષ્ટ્રીય

માલદીવના મંત્રીની વાંધાજનક ટિપ્પણીને લઈને ભારતની મોટી હસ્તીઓ અને દિગજ્જ નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી

માલદીવના મંત્રી મરિયમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને ભારતમાં સતત પ્રતિક્રિયા થઈ રહી છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પણ પોતાના મંત્રીના નિવેદનની આકરી ટીકા કરી છે. ઘણી ભારતીય સેલિબ્રિટીઓએ લક્ષદ્વીપ અને સિંધુદુર્ગ જેવા ભારતીય ટાપુઓની મુલાકાત લેવાની અપીલ કરી છે..

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે મંત્રીઓના નિવેદનબાજી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મંત્રી મરિયમ શિઉના દ્વારા ભારતીય વડાપ્રધાન માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે. તેઓ તેની નિંદા કરે છે. તેમણે કહ્યું કે ભારતે હંમેશા માલદીવનું સમર્થન કર્યું છે, ભારત આપણી સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સહયોગી રહ્યું છે..

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે આગામી દિવસોમાં લક્ષદ્વીપ પર્યટનનું મોટું હબ બનશે. અમારું આગામી લક્ષ્ય ત્યાં એરપોર્ટ બનાવવાનું છે. લક્ષદ્વીપ ભારતમાં એક એવું સ્થળ છે જ્યાં પ્રવાસીઓને યુરોપ કે સ્વિટ્‌ઝર્લેન્ડ જવાની જરૂર નહીં પડે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ ટાપુ વિશે લોકોની ઉત્સુકતા વધી છે. લક્ષદ્વીપની મુલાકાત લેનારાઓને પ્રવાસી માટે જરૂરી દરેક વસ્તુ મળશે. લોકોને હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી..
અભિનેતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે આશ્ચર્યજનક છે કે તેઓ આ દેશ વિશે કરી રહ્યા છે જે તેમને સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ મોકલે છે. આપણે આપણા પડોશીઓ માટે સારા છીએ પરંતુ આપણે આવી બિનજરૂરી નફરત શા માટે સહન કરીએ. તેણે વધુમાં કહ્યું, “મેં ઘણી વખત માલદીવની મુલાકાત લીધી છે અને હંમેશા તેની પ્રશંસા કરી છે, પરંતુ અમારું ગૌરવ અમારા માટે પહેલા આવે છે. ચાલો આપણે ભારતીય ટાપુઓનું અન્વેષણ કરવાનું નક્કી કરીએ અને આપણા પ્રવાસનને ટેકો આપીએ..

અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી જેમાં અભિનેતા સલમાન ખાને લક્ષદ્વીપની સુંદરતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લક્ષદ્વીપના સુંદર, સ્વચ્છ અને ભવ્ય દરિયાકિનારા પર જાેવું ખૂબ જ આનંદદાયક છે. અને સૌથી સારી વાત એ છે કે આ અમારી પાસે ભારતમાં છે” અને ઁસ્ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવના મંત્રી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, “મોટા ભાગના લોકો માટે પર્યટન માત્ર લક્ઝરી નથી ઇચ્છતા, પરંતુ તે કુદરત અને સૌથી વધુ દરિયાકિનારામો આનંદ માણવાનું છે..

સચિન તેંડુલકરે પણ ટ્‌વીટ કર્યું, “મેં સિંધુદુર્ગમાં મારો ૫૦મો જન્મદિવસ ઉજવ્યો તેને ૨૫૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ દરિયાકાંઠાના શહેરે અમને જે જાેઈએ છે તે બધું આપ્યું છે, અને વધુ. અદ્ભુત આતિથ્ય સાથેનું અદ્ભુત સ્થળ જે આપણા માટે યાદોનો ભંડાર છોડી ગયું છે. ભારત સુંદર દરિયાકિનારા અને નૈસર્ગિક ટાપુઓથી સમૃદ્ધ છે. અમારી “અતિથિ દેવો ભવ” ફિલસૂફી સાથે, અમારી પાસે અન્વેષણ કરવા માટે ઘણાં પ્રવાસન સ્થળો છે. હજી ઘણી યાદો બનાવવાની રાહ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/