fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું:5 પ્રવાસી તણાયા, એક મહિલાનું મોત

ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે 24 લોકોનાં મોત ભારતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. એને લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ (IMD)એ શનિવારે (24 ઓગસ્ટ) 14 રાજ્યમાં ભારે વરસાદ અને 11 રાજ્યમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

5 પ્રવાસી તણાયા, એક મહિલાનું મોત પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસી વહી જતાં તંત્રની ચિંતા વધી ગઈ હતી. માતાનાં દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ પર્યટકને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા.ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે 24 લોકોનાં મોતત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 17 લાખ લોકોને અસર થઈ છે. 24 લોકોનાં મોત થયાં છે. 2 લોકો ગુમ છે. સેનાએ 330 લોકોને બચાવ્યા. 450 રાહત શિબિરોમાં 65 હજાર લોકો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/